Latest

“ઘોડા અને સિંહ પરના છપાકરા”ના રચયિતા ભાવનગરના રાજકવિશ્રી બળદેવભાઈ નારેલાને માંગલશક્તિ એવોર્ડ એનાયત

પૂજ્ય મોરારિબાપુના હસ્તે તેમના વારસદારોને એવોર્ડ એનાયત કરાયો

“ચીલોવડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જનમી નો’ત જો જગતમાં મઢડે સોનલમાત” આવા માતાજીના અનેક દુહાઓની રચના કરી

રાજકવિશ્રી બળદેવભાઈના પિતામહશ્રી અને દાદાશ્રીના સાહિત્ય ક્ષેત્રે અદભુત પ્રદાનને એકત્ર કરીને ૧૯૭૩ માં “પિંગળવાણી” સ્વરૂપે તૈયાર કર્યું હતું

“ઘોડા અને સિંહ પરના છપાકરા”ના રચયિતા ભાવનગરના રાજકવિશ્રી બળદેવભાઈ નારેલાને માંગલશક્તિ એવોર્ડ મોગલધામ ભાગુડા ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ પૂજ્ય મોરારિબાપુના હસ્તે તેમના વારસદારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

“ચીલોવડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જનમી નો’ત જો જગતમાં મઢડે સોનલમાત” આવા માતાજીના અનેક દુહાઓની રચના રાજકવિશ્રી બળદેવભાઈ હરદાનભાઈ નારેલાએ કરી છે જે હાલમાં સાહિત્યકારો દ્વારા ડાયરામાં બોલવામાં આવે છે.

શ્રી બળદેવભાઈના સાહિત્યક્ષેત્રના ખાસ પ્રદાનને ધ્યાને લઈને માંગલશક્તિ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેમના પિતામહશ્રી પાતાભાઇ નારેલા અને દાદાશ્રી પિંગળશીભાઇ નારેલા વગેરેનું પણ સાહિત્ય ક્ષેત્રે અદભુત પ્રદાન રહ્યું છે.

તેઓનું સાહિત્ય આજે પણ ખૂબ જ લોકભોગ્ય છે. શ્રી બળદેવભાઈએ તેઓનું સાહિત્ય એકત્ર કરીને અથાગ પ્રયત્નો કરીને “પિંગળવાણી” સ્વરૂપે ૧૯૭૩ માં તૈયાર કર્યું હતું. શ્રી બળદેવભાઈ ૧૯૬૫ ના વર્ષથી આજીવન રાજ્યકવિપદ સાંભળેલ છે.

શ્રી બળદેવભાઈ ઉપર આઈ શ્રી સોનબાઈ માતાજીની અસીમ કૃપયા હતી જેથી માતાજીની અનેક રચનાઓ એમણે બનાવેલ છે.

આ ઉપરાંત રાજકવિશ્રી બળદેવભાઈ નારેલાએ નદી, દુષ્કાળ અને દેશભક્તિના પણ અનેક છપાકરા લખેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું

અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ…

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉપસરપંચે ઉચ્ચ…

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

સાવરકુંડલા –જીકીયાળી રોડ માટે ₹૪.૯૦  કરોડ મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ…

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું

ગોપાલભાઈ ઇટાલીયા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી…

ગીર (પૂર્વ) વન વિભાગ ધારી દ્વારા ‘માનવ-વન્યપ્રાણી સંઘર્ષ નિવારણ’ પર વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન

ધારી ખાતે નાયબ વન સંરક્ષકશ્રી વિકાસ યાદવ.(IFS) ની અધ્યક્ષતામાં  સેમિનાર સંપન્ન…

1 of 620

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *