Latest

શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા નિ:શુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ યોજાયો.

રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર આવેલ વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સાધુ સમાજ શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે શ્રી રાપરીયા યુવા સંગઠન દ્રારા રાધનપુર હનુમાનજીના મંદિર ખાતે નિ:શુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

શ્રી રાપરીયા યુવા સંગઠન આયોજિત નિઃશુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમની શુભ શરૂઆત સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય અને હનુમાન ચાલીસા કરી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત નિવૃત કર્મચારીઓ અને સરકારી ક્ષેત્રે નોકરી મેળવેલ કર્મચારીઓનુ કાર્યક્રમ અંતર્ગત સ્વાગત કરાયું હતું.

રાધનપુર ખાતે શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ નૉ સન્માન સમારંભ તથા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધો.3 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા.અને ધો.3થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ ચોપડા સહીત પ્રતિભાશાળી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ ધો.3થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ કે જેઓ 1થી 3 નંબર મેળવેલ હોય તેવા પ્રતિભાશાળી બાળકોનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 3 વર્ષમાં સરકારી ક્ષેત્રમાં નોકરી મેળવેલ હોય તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં નિવૃત થયેલ સરકારી કર્મચારીઓનું શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં રાજ્ય કક્ષાએ મેડલ મેળવેલ હોય તેવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ જિલ્લા કક્ષાએ 1 થી 3 નંબર મેળવેલ હોય તેવા તેજસ્વી તારલાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું.શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ નૉ સન્માન સમારંભ તથા ચોપડા વિતરણ કાર્યક્રમ અંતર્ગત વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ વાલીગણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *