Latest

ખેરંચા સુર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસ ઉજવાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરન્ચા પ્રાંગણમાં તારીખ 21જૂન 2023ને બુધવારના રોજ સવારના 6.30ના સુમારે વિશાળ મેદાનમાં વિશ્વ યોગ દિવસ મનાવાયો. સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોત-પોતાનું સ્થાન ગ્રહણ કરી લીઘું હતું. શાળાના આચાર્ય હાર્દિક જોશી, એડમિનિસ્ટ્રેટર સુબેદાર સમરજીત જી અને ડ્રીલ ઈન્સ્ટ્રક્ટર હવાલદાર સોહનજીએ દીપ પ્રાગટય કર્યું હતું. શાળાના વ્યાયામ શિક્ષક રામચંદ્રજીએ યોગ પ્રાર્થના કરાવીને વોર્મ-અપ કરાવ્યું.

હળવી કસરત કરાવી ત્રણ પ્રકારનાં આસનો કરાવ્યાં. શરીર સ્વસ્થ રાખવા માટે નિત્ય યોગાસન પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર ખૂબ લાભદાયી છે. તેમ જણાવી આસનો કરાવ્યા પછી સૂર્યનમસ્કાર કરાવ્યા. ત્યારબાદ વિવિધ યોગ મુદ્દાઓનો પરિચય કરાવી પ્રાણાયામ કરાવ્યા. છેલ્લે શવાસન અને ધ્યાન કરાવી યોગ શાંતિમંત્ર કરાવ્યો. શાળાના આચાર્ય હાર્દિક જોશીએ યોગ વિષયનો મહિમા જણાવી જીવનમાં તેનું મહત્ત્વ વિવિધ ઉદાહરણો આપીને સમજણ પાઠવી હતી.

આ તબક્કે અષ્ટાંગ યોગ પ્રણેતા મહર્ષિ પતંજલિના રાજયોગની મહત્તા જણાવી. સાંપ્રત સમયમાં 2015 થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વિશેષ પ્રયત્નો થકી વિશ્વના 40 થી વધુ દેશોમાં યોગ સમર્થકો યોગ કરીને સ્વસ્થ જીવન યાપન કરી રહયા છે. શાળાના મેનેજર સંજય વશિષ્ઠજી અને સમરજીત યાદવજીએ પૂર્ણ સ્થિતિમાં આસન કરનાર વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન આપ્યું હતું. સમાપનમાં શાળાના વરિષ્ઠ શિક્ષક દીપકભાઈ દવેએ આભાર દર્શન કર્યું. અંતે જરૂરી સૂચનાઓ આપી સૌ આગળના કાર્યક્રમમાં જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *