Latest

31મોટરસાઈકલ ચોરીનો ભેદ ઉકેલનાર ઉમરાળા Psi ભલગરીયાને DG દ્વારા પ્રશંસાપત્ર અર્પણ

સમગ્ર ગુજરાતમાં ઈ ગૂજકોપની કામગીરીમાં અગ્રેસર ઉમરાળા Psi ભલગરીયાને ડી.જી.વિકાસ સહાય દ્વારા પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા

ગુજરાતની સર્વાંગી વૈશ્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદ્રઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતી રહેલી છે આ જ કારણોથી ગુજરાતની કાયદો વ્યવસ્થા આ સુરક્ષા-સલામતિની સ્થિતીની નોંધ દેશભરમાં લેવાય છે

ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે ગૂન્હો આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢીને સજા આપવાની નશ્યત કરવાની સજ્જતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે ગુજરાત પોલીસ અધિકારીઓ-દળના કર્મયોગી ઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે સન્માનિત કરાયા છે જેમાં 31 મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલનાર ઉમરાળા પીએસઆઇ ભલગરીયાને પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા છે

પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે ગુજરાત પોલીસ આધુનિક તકનીકનો ઉપયોગ કરી સમય સાથે તાલ મિલાવી રહી છે ત્યારે ઉમરાળા પીએસઆઇ ભલગરીયાને D G દ્વારા પ્રશંસાપત્ર અર્પણ કર્યું છે ઉમરાળા પોલીસ અધિકારી એમ.આર.ભલગરીયા અને ઉમરાળા પોલીસ સ્ટાફની કામગીરીની નોંધ રાજ્યના ડી.જી. વિકાસ સહાય દ્વારા લેવાઈ છે ઉમરાળા પોલીસ સ્ટાફ દ્વારા ચોરીના કુલ-૩૧ મોટર સાઈકલ વાહનો સાથે ચાર ઈસમોને પકડી પાડી ભાવનગર જીલ્લા તથા અન્ય જીલ્લાના મળી કુલ ૧૮ ગુન્હાઓ શોધી કાઢવાની આપની આ સારી કામગીરી કરવા બદલ આ પ્રશંસાપત્ર આપવામાં આવે છે આપની આ નિષ્ઠા અને સમર્પણને હું બિરદાવું છું અને અભિનંદન પાઠવું છું ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરીથી અનેક માટે પથદર્શક બનો તેવી શુભેચ્છા ડી.જી.વિકાસ સહાય દ્વારા પાઠવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *