Latest

વાસણા ગામે શ્રી રામ ચરિત માનસ પારાયણ યોજાશે

માંડવી – કચ્છના વક્તા પારાયણનું રસપાન કરાવશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મેઘરજ તાલુકાના વાસણા ગામે જલારામ સેવા ટ્રસ્ટ અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી ચિત્રકૂટ ધામ,જલારામ મંદિર ખાતે શ્રી રામ ચરિત માનસ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં માંડવી – કચ્છના પ્રસિદ્ધ વક્તા મનુભાઈ વૈશ્નવ શ્રોતાઓને પારાયણનું સંગીતમય રસપાન કરાવશે.

અરવલ્લીના અંતરિયાળ મેઘરજ તાલુકાના વાસણામાં જનકલ્યાણ અર્થે આયોજિત  પારાયણમાં ડો.બંસી ભાઈ પટેલ (મેઘરજ) મુખ્ય યજમાન પદે બિરાજશે.તા.૨૪ ના રોજ દેવરાજ ધામના મહંત ધનગીરી બાપુ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પારાયણનો પ્રંભ થશે.બપોરે ૧૨ કલાકથી સાંજના ૪ કલાક સુધી પારાયણનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

તા.૧ જાન્યુઆરી સુધી ચાલનાર આ પારાયણમાં શિવવિવાહ,સીતાજન્મ,સીતારામ લગ્ન,રામ પાદુકા પૂજન,સુંદરકાંડ,રામેશ્વર સ્થાપન સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાથી તાલુકાની ધર્મપ્રેમી પ્રજામાં અનેરો ઉત્સાહ છવાયો છે. પારાયણના પ્રખર જ્ઞાતા મનુભાઈ વૈશ્નવ સાથે માંડવી કચ્છના સંગીત કલાકારોને સંભાળવા એક અલૌકિક પ્રસંગ બની રહેનારો હોઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *