Latest

ઉના તાલુકાના વાંસોજ ગામમાં અમૃત કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું

સમગ્ર ગીર સોમનાથમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનને પ્રચંડ જનસમર્થન મળ્યા બાદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં અમૃત કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામ ખાતે આજ રોજ વાંસોજ ગ્રામ પંચાયત દ્વારા કળશ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા પ્રસંગે ગીર સોમનાથ જીલ્લા પંચાયત નાં પૂર્વ પ્રમુખ શ્રી હરીભાઈ સોલંકી તેમજ ઉના તાલુકા પંચાયતનાં કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા, વાંસોજ ગ્રામ પંચાયત નાં સરપંચ શ્રી ગંગાબેન વાજા,ઉપસરપંચ શ્રી સમજુબેન વાળા, એસએમસી. ના પૂર્વ અધ્યક વાળા નરેશભાઈ,જેસાભાઇ રામ, એસએમસી તમામ સભ્યો, ધીરુભાઈ સોલંકી, જીવાભાઈ કામળીયા, દાનજીભાઈ ઝાલા, વાંસોજ પ્રા. શાળા ના આચાર્ય તેમજ સ્ટાફ ગણ, વાંસોજ આરોગ્ય વિભાગ સીએસઓ.પૂજાબેન, પાયલબેન લાખણોત્રા, એમ.પી.એસ.ડબલ્યુ ઘનશ્યામભાઈ બારૈયા તેમજ આશા વર્કરના બહેનો, વાંસોજ ગ્રામ પંચાયત તમામ સભ્યો શ્રી એ આ કાર્યક્રમ માં ઉત્સાહ ભેર હાજરી આપી હતી.

અહેવાલ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *