Latest

કેશોદના કારવાણી ગામના ગ્રામજનો દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

કેશોદ તાલુકાના કારવાણી ગામમાં ગત તારીખ 28-12-2025ના રોજ મયુરભાઈ અમુભાઈ ધાના દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે મયુરભાઈના પિતા અમુભાઈ ધારાભાઈ ધાનાએ પોતાના જ ગામના અનિરૂદ્ધસિંહ ભોજુભાઈ જખીયા વિરુદ્ધ ઘાકધમકી અને માનસિક ત્રાસ આપ્યાનો આરોપ લગાવી કેશોદ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.

આ મામલે આજે કારવાણી ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે મયુરભાઈ તથા તેમના પિતા અમુભાઈ બંનેને દારૂ પીવાની આદત હતી અને તેઓ અવારનવાર ગામમાં ઝઘડા અને માથાકૂટ કરતા હતા. તેમજ ખોટી પોલીસ ફરિયાદો નોંધાવવાની ટેવ પણ તેમની હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પિતા અને પુત્ર સામે અગાઉ પણ અનેક પોલીસ કેસ નોંધાયેલા છે અને તેમનો સ્વભાવ માથાભારે તથા ઝનૂની હોવાનું સમગ્ર ગામમાં જાણીતું છે. આવા સંજોગોમાં ગામના નિર્દોષ રહેવાસી અનિરૂદ્ધસિંહ જખીયા પર લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે ખોટા અને આધારવિહોણા હોવાનું ગ્રામજનોએ આવેદનપત્રમાં સ્પષ્ટ કર્યું હતું.

આવેદનપત્રમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ખોટા આરોપો લગાવી અનિરૂદ્ધસિંહ જખીયાની સમાજમાં બદનામી કરવામાં આવી રહી છે તેમજ તેમની કારકિર્દી પર પણ પ્રતિકૂળ અસર થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે, જે ન્યાયસંગત નથી. તેથી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી નિર્દોષ વ્યક્તિને ન્યાય અપાય તેવી માંગ ગ્રામજનોએ કરી હતી.

આ મામલે કેશોદ પોલીસે આવેદનપત્ર સ્વીકારી યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ શોભના બાલશ કેશોદ જુનાગઢ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *