LatestOther

મોરબી ખાતે જિલ્લા કાર્યાલય “શ્રી કમલમ્”નું ખાતુમૂહુર્ત કરતા પ્રદેશ અધ્યક્ષ અને રાજ્ય શિક્ષણમંત્રી

મોરબી, સંજીવ રાજપૂત: નવરાત્રીના પાંચમા નોરતે મોરબી ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જીના વરદ હસ્તે તેમજ પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કાર્યાલય “શ્રી કમલમ્”નું ખાતુમૂહર્ત કરવામાં આવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે કાર્યાલય જનતાને સંગઠન સાથે જોડવામાં અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે એક કડી રૂપ ભૂમિકા નિભાવે છે અને પાર્ટીમાં કાર્યકરોનું સન્માન એ મૂડી છે અને એ કાર્યાલય રૂપી મંદિર બની રહ્યુ છે. આ ઉપરાંત રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સૌ દેવતુલ્ય કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં સ્થાનિક સંગઠનના હોદ્દેદારઓ, સાંસદ, ધારાસભ્યઓ સહિતના પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું

અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ…

કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા…

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉપસરપંચે ઉચ્ચ…

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

સાવરકુંડલા –જીકીયાળી રોડ માટે ₹૪.૯૦  કરોડ મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ…

1 of 640

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *