LatestOther

અંબાજી મેળામાં એક સરખા ડિઝાઇન અને વિવિધ કલર કોડ સાથેના પ્લોટ બન્યા આર્કષણનું કેન્દ્ર

અંબાજી, સંજીવ રાજપૂત: ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ વેચાણકર્તાઓની સુખ અને સુવિધા માટે ખાસ આયોજન કર્યું છે. અંબાજી ખાતે વેચાણકર્તાઓને મુશ્કેલી ન પડે તેમજ પદયાત્રિકો અને યાત્રાળુઓની સુખ અને સુવિધા જળવાઇ રહે તે માટે તંત્ર દ્વારા આ વખતે મેળાના બ્રાન્ડીંગ પર વિશેષ ભાર મુકાયો છે. જેને પગલે મેળામાં જાહેર હરાજીના પ્લોટની એક સરખી ડિઝાઇન તેમજ ખાસ કલર કોડ સાથે ખાસ આયોજન કર્યું છે જે એક સરખા પ્લોટો મેળામાં દરેક યાત્રાળુઓ માટે આર્કષણનું કેન્દ્ર બન્યા છે.

દાંતા- અંબાજી રોડ અને હડાદ- અંબાજી રોડ પર જાહેર હરાજીના એક સરખા પ્લોટનું વેચાણ કરાયું છે. જેમાં 231 પ્લોટનું વેચાણ કરાયું છે. આ પ્લોટમાં લાલ કલરના પ્લોટ પ્રસાદના, લીલા કલરના ફુડના, પીળા કલરના રમકડાં અને નોવેલ્ટીના તેમજ વાદળી કલરના વિવિધ વિભાગોના પ્લોટ રાખવામાં આવેલ છે.

યાત્રાધામ અંબાજી ખાતે યાત્રાળુઓની સુવિધા માટે તંત્ર કટિબધ્ધ બન્યુ છે ત્યારે અંબાજી ખાતે વેચાણકર્તા અને યાત્રિકોની સુવિધા માટે આયોજન કરેલ પ્લોટથી આજે રોજગારીના સર્જન સાથે મેળામાં યાત્રિકોને નાવીન્ય જોવા મળ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા…

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 563

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *