bhavnagarBreaking NewsEducationOther

પ્રાકૃતિક ખેતી અંગે વલ્લભીપુર તાલુકાના લોલીયાણા અને કાનપર ગામે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

ભાવનગર જિલ્લામા પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ અંતર્ગત તા. 10/07/2024 ના રોજ વલ્લભીપુર તાલુકાના લોલીયાણા અને કાનપર ગામે કૃતિક કૃષિની ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી હતી જેમાં વલ્લભીપુર તાલુકાના નોડલ અધિકારી શ્રી જે.એન.પરમાર,વલ્લભીપુર તાલુકાના લાઇઝન અધિકારી શ્રી સી.કે.સાંખટ અને ક્લસ્ટર અધિકારી શ્રી હરસુરભાઈ હુંબલ (આત્મા ) તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતો,ગામના ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રાકૃતિક કૃષિના ફાયદા તેમજ પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિશે માહિતી આપવામાં આવી હતી.

જેમા નોડલ અધિકારી શ્રી જે.એન.પરમાર દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિના સિદ્ધાંતો જેવા કે જીવામૃત,ઘનજીવામૃત,બીજામૃત,અચ્છાદન,વાપસા અને મિશ્રપાક પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

વલ્લભીપુર તાલુકાના લાઇઝન અધિકારી શ્રી સી.કે.સાંખટ દ્વારા જુદા જુદા પ્રાકૃતિક ખેતીના વિવિધ પ્રાકૃતિક અસ્ત્રો વિશે માહિતી આપી.

તાલીમને અંતે ખેડૂતને મુંજવતા પ્રશ્નોના નિરાકરણ સાથે ક્લસ્ટર અધિકારીશ્રી હરસુરભાઈ હુંબલ દ્વારા આભાર વિધી કરી તાલીમ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્દોરની પાવન ધરતી પર મહિસાગરના શિક્ષકશિલ્પી શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલ બન્યા ગુજરાતનું ગૌરવ

મહારાષ્ટ્રના વર્ધામાં નોંધાયેલ “બાળરક્ષક પ્રતિષ્ઠાન” દ્વારા ઇન્દોર સ્થિત અહિલ્યા…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 113

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *