bhavnagarBreaking NewsEducationOther

પ્રાકૃતિક ખેતી અંગે વલ્લભીપુર તાલુકાના લોલીયાણા અને કાનપર ગામે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

ભાવનગર જિલ્લામા પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ અંતર્ગત તા. 10/07/2024 ના રોજ વલ્લભીપુર તાલુકાના લોલીયાણા અને કાનપર ગામે કૃતિક કૃષિની ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી હતી જેમાં વલ્લભીપુર તાલુકાના નોડલ અધિકારી શ્રી જે.એન.પરમાર,વલ્લભીપુર તાલુકાના લાઇઝન અધિકારી શ્રી સી.કે.સાંખટ અને ક્લસ્ટર અધિકારી શ્રી હરસુરભાઈ હુંબલ (આત્મા ) તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતો,ગામના ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રાકૃતિક કૃષિના ફાયદા તેમજ પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિશે માહિતી આપવામાં આવી હતી.

જેમા નોડલ અધિકારી શ્રી જે.એન.પરમાર દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિના સિદ્ધાંતો જેવા કે જીવામૃત,ઘનજીવામૃત,બીજામૃત,અચ્છાદન,વાપસા અને મિશ્રપાક પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

વલ્લભીપુર તાલુકાના લાઇઝન અધિકારી શ્રી સી.કે.સાંખટ દ્વારા જુદા જુદા પ્રાકૃતિક ખેતીના વિવિધ પ્રાકૃતિક અસ્ત્રો વિશે માહિતી આપી.

તાલીમને અંતે ખેડૂતને મુંજવતા પ્રશ્નોના નિરાકરણ સાથે ક્લસ્ટર અધિકારીશ્રી હરસુરભાઈ હુંબલ દ્વારા આભાર વિધી કરી તાલીમ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ

ભાવનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: કેરીયાવાડી પ્રાથમિક શાળામાં યુનિફોર્મ અને રમતગમત…

1 of 101

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *