Other

તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવાં માટે મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ સીટી મામલતદાર કચેરી ખાતે યોજાશે

રાજય સરકારના આદેશ અનુસાર તા. ૨૭/૦૭/૨૦૨૨ ને બુધવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિદ્યાનગર,બી.પી.ટી.આઈ. સામે, ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવાં માટે નાયબ કલેકટરશ્રી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને યોજાશે.

ભાવનગર શહેરના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારશ્રીઓ પાસેથી તા. ૧૦/૦૭/૨૦૨૨ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજૂ કરવાં માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટી મામલતદારશ્રી, ભાવનગરને પુરાવા સાથે અરજી કરવાની રહેશે.

આ કાર્યક્રમમાં ગત તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનિર્ણીત રહેલ અરજદારો તથા સંબંધિત વિભાગોએ જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહીક રજૂઆત કરી શકાશે નહીં તેમ સીટી મામલતદાર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *