Politics

અરવલ્લી જિલ્લા અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીને છોડાવાની માંગણી સાથે કલેક્ટરને આવેદન આપ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને ન્યાય અપાવવા બાબતે અરવલ્લી જિલ્લા અર્બુદા સેના મેદાને ઉતરી છે. આજે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ધરણા યોજ્યા હતા અને જેલ ભરો આંદોલન કર્યું હતું.

અર્બુદા સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ ગૃહમંત્રી તથા પૂર્વ ચેરમેન અમૂલ ફેડરેશન વિપુલ ચૌધરીને રાજકીય કિન્નાખોરીથી ખોટા કેસો ઉભા કરીને વિધાન સભાની ચુંટણીમાં ભાગ ન લઈ શકે તે ઈરાદાથી સરકાર દ્વારા ધરપકડ કરેલ છે. અગાઉ પણ દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ચુંટણી જાહેર થઈ તે જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી. આમ વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી લોકશાહી પ્રક્રિયાનું હનન કરીને ધરપકડ કરવામાં આવેલ છે.

તે સંદર્ભે વિપુલ ચૌધરીને ન્યાય નહિં મળે તો અર્બુદા સેનાના કાર્યકરો, પશુપાલકો અને સમાજના આગેવાનો અનિશ્ચિત સમય મર્યાદા સુધી ધરણા, ઉપવાસ તથા જેલ ભરો કાર્યક્રમો કરશે. જે અનુસંધાને અરવલ્લી જિલ્લા અર્બુદા સેના દ્વારા આજે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ધરણા યોજ્યા હતા અને જેલ ભરો આંદોલન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *