Politics

નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઇ.ટી.સેલ) ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવતા બ્રિજેશકુમાર પટેલને ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય પદે નિમણૂક.

ગુજરાત રાજ્યના નાના છેવાળા ના ગામડાઓ સુધી ના પ્રત્યેક વ્યક્તિ ને સરકારી યોજાઓનો લાભ મળે તેમજ સામાજિક રીતે લોકોને મદદ રૂપ થવાના હેતુ થી કાર્ય કરતું નરેન્દ્ર મોદી વિચાર મંચ છેલ્લા ઘણા વર્ષો થી ભરૂચ જિલ્લામાં કાર્યરત છે,આ મંચ થકી અત્યાર સુધી અનેક અંતરિયાળ વિસ્તારોમાં વસ્તા લોકોને મંચ ના સક્રિય રહેલા સભ્યો રાત દિવસઃ મદદ રૂપ થઇ રહ્યા છે.

૦૨/૦૯/૨૦૨૦માં બ્રિજેશકુમાર પટેલ ની નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઇ.ટી.સેલ)માં નેત્રંગ તાલુકામાં પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી હતી. આ મંચ માં તાલુકા પ્રમુખ પદે સેવા આપનાર બ્રિજેશ કુમાર ભરતભાઇ પટેલ ને તેઓના સેવાથી પ્રભાવિત થઇ સંગઠન દ્વારા તેઓને જિલ્લા ના પ્રમુખ પદે ૦૬/૦૨/૨૦૨૨ માં રોજ નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઇ.ટી.સેલ) દ્વારા તેઓને ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય પદે નિમણૂક કરવામાં આવતા તેઓના સમર્થકો અને સ્થાનિક જનતામાં ખુશીનો માહોલ છવાયો છે,

નરેન્દ્ર મોદી વિચાર મંચ નું સુત્ર છે કે પેટ કો રોટી દેશ કો મોદી ના સૂત્રને સાથર્ક કરવા કાર્યકરો આ સંગઠન માં ઉત્સાહ પૂર્વક પોતાનું કામ કરી રહ્યા છે. નેત્રંગ જેવા અંતરિયાળ વિસ્તારોમાં સતત રાત દિવસ વિચાર મંચ થકી કામ કરતા બ્રિજેશ પટેલના અનેક સામાજીક કાર્યો ના વખાણ તેઓના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સમસ્યાઓ નાની હોય કે મોટી તમામ બાબતો ઉપર આ મંચ ના સભ્યો ઝીણવટ ભરી રીતે પોતાની પરિણામ રૂપી કામગીરી કરી નરેન્દ્ર મોદી વિચાર મંચ ને મજબુત કરવાનું કાર્ય કરી રહ્યા છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *