Latest

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ માટે દિવ્યાંગ મતદારોમાં મતદાન અંગે જાગૃતા આવે અને લોકશાહીના આ અવસરમાં તેમની સહભાગીતા વધે તે માટે હિંમતનગર સમાજ સુરક્ષા અધિકારીની કચેરી બહુમાળી ભવન ખાતે સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્રારા દિવ્યાંગ મતદારોમાં મતદાન અંગે જાગૃતા આવે અને લોકશાહીના આ અવસરમાં તેમની સહભાગીતા વધે તે માટે હિંમતનગર સમાજ સુરક્ષા અધિકારીની કચેરી બહુમાળી ભવન ખાતે સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે.

દિવ્યાંગજનો દ્રારા સિગ્નેચર કરીને તા. ૫ મી ડિસેમ્બર ૨૦૨૨ના દિવસે લોકશાહી પર્વમાં મતદાન કરવા માટેની ખાત્રી દર્શાવી અન્ય લોકોને મતદાન કરવા પ્રેરણા આપી હતી.

આ કેમ્પેઇન વખતે દિવ્યાંગજનોને મતદાનના દિવસે મળનારી વિશેષ સુવિધાઓ જેવી કે મતદાન મથક સુધી અવર-જવરની સુવિધા, મુક-બધીર મતદારો માટે વિશેષ તજજ્ઞોની સુવિધા અંગે માહિતી આપી હતી.મતદારો દ્રારા અવશ્ય મતદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *