bhavnagarBreaking NewsGujarat

ઘોઘા તાલુકાના તણસા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું હર્ષોલ્લાસભેર સ્વાગત.ગ્રામજનોને ઘરઆંગણે જ મળ્યાં વિવિધ યોજનાઓના લાભ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામ-ગામથી જન-જન જોડાઈ રહ્યા છે.આ યાત્રા અન્વયે ભાવનગર જિલ્લામાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને તમામ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

ભાવનગર જિલ્લામાં ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઠેર ઠેર ઉષ્માભર્યો આવકાર મળી રહ્યો છે.આ યાત્રાનું ઘોઘા તાલુકાના તણસા ગામ ખાતે ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવાની સાથે ગ્રામજનોને ઘરઆંગણે જ વિવિધ યોજનાઓના લાભ અપાયા હતા. આ અવસરે શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સુંદર નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા.

રથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંદેશનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.ઉપસ્થિતોએ આ સંદેશ પ્રસારણને રસપૂર્વક નિહાળ્યું હતું.વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં મેરી કહાની,મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ સરકારની યોજનાઓના સથવારે તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની પ્રેરણાત્મક વાત રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એ.એમ.પટેલ,તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.જી.મકવાણા,ગામના સરપંચશ્રી વિરેન્દ્ર સિંહ ગોહિલ તેમજ અગ્રણીઓ,અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે…

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *