bhavnagarBreaking News

ઉમરાળાના ટીંબી ખાતેની મારુતિ ગેસ એજન્સીના માલિકની દબંગાઈ

ગેસ રીફિલિંગ માટે આવેલા 67 વર્ષના આધેડને ઢોર માર માર્યો

ઉમરાળા : ઉમરાળા તાલુકાના ટીંબી ગામે મારુતિ ગેસ એજન્સીના માલિક અને ભાજપના મહિલા મોરચાના અગ્રણી ભારતીબેન ભિંગરાડીયા ના પતિ વિઠ્ઠલ ભિંગરાડિયાની દાદાગીરી સામે આવી છે , પ્રાપ્ત થતી વિગત મુજબ બે દિવસ પૂર્વે ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામના 67 વર્ષના આધેડ મનજી ભાઈ સવાણી પોતાના ભાઈના ઘરેલુ ગેસ કનેશન નો સિલિન્ડર રિફિલ કરાવવા મારુતિ ગેસ એજન્સી ટીંબી ખાતે આવેલા હતા, તે સમયે મોબાઈલ માં આવેલ ઓ.ટી.પી. અર્થે ફરજ પરના કર્મચારી ને પૂછતા

તેઓ દ્વારા એજન્સીના માલિક સાથે ઓફિસમાં વાત કરી લેવા જણાવેલ જ્યારે આધેડ એજન્સી સંચાલકને ઓફિસ માં મળવા જતા તેઓ સાથે વિષય અન્વય વાત કરતા સંચાલક વિઠ્ઠલ ભિંગરાડિયા દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ભૂંડા બોલી ગાળો આપેલ ત્યાર બાદ આધેડ મનજીભાઈ દ્વારા ગાળો ન બોલવા બાબત કહેતા ઉશ્કેરાયેલા વિઠ્ઠલ ભીંગરાડિયાએ ધોકા પાઇપ વડે આધેડને ઢોર માર માર્યો હતો ,

ઇજાગ્રસ્ત આધેડ ને 108 મારફતે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, સમગ્ર ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત ની ફરિયાદ લઇ ફરિયાદના આધારે આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલેખાનીય છે કે વિઠ્ઠલ ભિંગરાડિયા અને તેનો પુત્ર તાલુકામાં માથા ભારેની છાપ ધરાવે છે અવાર નવાર ગેસ રિફિલીગ કરવા આવતા ગ્રાહકો સાથે ઉધતાઈ ભર્યું વર્તન તેમજ હાથાપાઇ કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું વિઠ્ઠલ ભિંગરાડિયા વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં 6 જેટલા અલગ અલગ ગુન્હા કાર્યની ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે જો કે રાજકીય વગ ધરાવતા હોવાથી તેની સામે કોઈ શિક્ષાત્મક પગલાં આજ દિન સુધી લેવાયા નથી , જેથી સ્થાનિક લોકોમાં ભય નો માહોલ ફેલાયો છે આવા વિઠ્ઠલ ભિંગરાડિયા જેવા માથા ભારે શક્શો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે

રિપોર્ટ : નિલેષ આહીર ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ…

વલભીપુરના દિવંગત શિક્ષક દીપકભાઈ જયપાલની ઉત્તરક્રિયામાં રક્તદાનનો અનોખો સેવાયજ્ઞ: ૮૦ બોટલ લોહી એકત્ર થયું

શોકને સેવામાં બદલતા જયપાલ પરિવારની નવી પહેલ; દિવંગત શિક્ષકની સ્મૃતિમાં સ્નેહીજનો…

વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

​શાંતિનિકેતન શાળાના ભૂલકાઓ સાથે પતંગ-ચીકીનું વિતરણ કરી કેક કાપી ઝૂંપડપટ્ટીના…

આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશે

૧૩મી જાન્યુઆરીથી ત્રણ દિવસ હણોલ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમોની…

1 of 381

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *