bhavnagar

અક્ષરવાડી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ઉજવાયો ભવ્ય મહા અન્નકુટ ઉત્સવ.

અન્નકૂટ ઉત્સવ એટલે ભગવાન પ્રત્યે સમર્પણની ભાવના દ્રઢ કરાવતો ઉત્સવ. અષાઢ માસથી થી શરૂ થયેલ વર્ષાથી ઉત્પન્ન નવા અનાજથી વિવિધ વાનગીઓ બનાવી સૌ પ્રથમ ભગવાનને અર્પણ કરવાની હિંદુ સનાતન ધર્મની પરંપરા છે.

આ રીતે ભગવાનના ઉપકારનો આભાર માનવાની અને સમગ્ર વર્ષ દરમ્યાન ભગવાનની પ્રસાદી રુપ અન્ન જમવાની ભાવના વ્યક્ત કરવામાં આવે છે. કારણકે બધું જ ભગવાનનું છે અને તેમનું આપેલું આપણે જમીએ છીએ.

અક્ષરવાડીમાં દર વર્ષે ખૂબ ભક્તિભાવ પૂર્વક અન્નકૂટ ઉત્સવ ઉજવાય છે. આ વર્ષે અન્નકુટમાં 1200 પ્રકારની વિવિધ શુદ્વ શાકાહારી વાનગીઓ ધરવામાં આવી છે.

વરિષ્ઠ સંત પૂ. સોમ પ્રકાશ સ્વામી, કોઠારી સંત પૂ. યોગ વિજય સ્વામી તથા મહાનુભાવોની ઉપસ્થિતિ માં ઉત્સવના દિવસે અન્નકૂટ થાળ નું ગાન તથા આરતી કરવામાં આવી. સાંજના ૭ કલાક સુધી ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ અન્નકૂટ દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો.

આજના પ્રસંગે કેન્દ્ર સરકારના માનનીય મંત્રી નીમુબેન બાંભણિયા, માનનીય ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ડો. ભારતીબેન શ્યાળ, કલેકટર શ્રી મહેતા સાહેબ, કમિશનર શ્રી સુજીત કુમાર, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ , શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, હીરા ઉદ્યોગ અગ્રણીઓ, મીડિયા વિભાગના તંત્રીઓ તથા બ્રાન્ચ મેનેજર, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, શિપ બ્રેકિંગ ઉદ્યોગપતિઓ, વકીલ એસોસિએશન હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને અન્નકૂટ દર્શન તથા આરતીનો લાભ પ્રાપ્ત કરેલ.

પૂજ્ય સંતોના માર્ગદર્શન નીચે છેલ્લા 15 દિવસથી સ્વયંસેવકો , બાળકો, બાલિકાઓ, યુવક, યુવતીઓ ,મહિલા હરિભક્તો આ અન્નકૂટની તૈયારી કરી રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ…

વલભીપુરના દિવંગત શિક્ષક દીપકભાઈ જયપાલની ઉત્તરક્રિયામાં રક્તદાનનો અનોખો સેવાયજ્ઞ: ૮૦ બોટલ લોહી એકત્ર થયું

શોકને સેવામાં બદલતા જયપાલ પરિવારની નવી પહેલ; દિવંગત શિક્ષકની સ્મૃતિમાં સ્નેહીજનો…

વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

​શાંતિનિકેતન શાળાના ભૂલકાઓ સાથે પતંગ-ચીકીનું વિતરણ કરી કેક કાપી ઝૂંપડપટ્ટીના…

આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશે

૧૩મી જાન્યુઆરીથી ત્રણ દિવસ હણોલ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમોની…

1 of 71

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *