Latest

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અને વિસ્તારમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે હંમેશા તત્પર રહેતા અને લોકોના સાથે રહી સેવાકીય પ્રવૃતિઓ કરતા જીજ્ઞાબેન શેઠ વઢિયાર પંથકમા હાલ આગવી ઓળખ ઉભી કરી છે.

જીજ્ઞાબેન શેઠ એક એવું નામ કે જેમને હંમેશા વિસ્તારમાં અનાથ લોકો, ગરીબ લોકો, શિક્ષણ સહાય થી લઈને ઉનાળા દરમિયાન આંતરિયાળ વિસ્તારોમાં ટેન્કર મારફતે લોકોને પીવાનું પાણી પહોંચાડી સતત સેવા સાથે જોડાયેલા જોવા મળે છે.

ત્યારે તાજેતરમા જ જીજ્ઞાબેન શેઠ અને તેમની ટીમ દ્વારા હરસુખ બી. મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થકી ચારુંબેન મહેતા વતી બનાસ નદીનાં પટમાં આવેલ શાળાનાં બાળકો માટે ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગ્રામ પંચાયતમાં આવતી બનાસ નદીના પટમાં આવેલી ભકિતનગર શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકો માટે ગરમ સ્વેટર નું વિતરણ કરતા નાના ભૂલકાંઓના માસૂમ ચહેરા પર અનોખી સ્મિત સાથે હરખની હેલી જોવા મળતા હૈયું સંવેદના થકી ઉભરાઈ આવ્યું હતું

બનાસ નદીના પટમાં આવેલ ભકિતનગર શાળામાં બે કિલોમીટર સુધી નદીમાં ચાલીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે.ત્યારે આ ખુલ્લા રેતાળ વિસ્તારમાં જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જીજ્ઞાબેન શેઠ તેમની ટિમ દ્વારા હરસુખ બી. મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ભક્તિનગર શાળાના અનાથ બાળકોને ગરમ સ્વેટર વિતરણ કરી બાળકો સાથે વ્હાલ કરતા જોવા મળ્યા હતાં. અને ચારુબેન મહેતા સેવાના ભીગરથ કાર્યમાં સતત સહભાગી બનતા જીજ્ઞાબેન શેઠે હરસુખ બી મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ ચારુબેન મહેતાનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *