Latest

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

કેશોદ એરપોર્ટ પર ૨૦૨૭ સુધીમાં એરબસ લેન્ડીગ થાય તે સરકારનો અભિગમ : કેન્દ્રિય મંત્રી ડૉ. માંડવિયા

કેન્દ્રિય મંત્રી ડૉ. માંડવિયાએ ઝડપી, પારદર્શક કામગીરી પર મૂક્યો ભાર

જૂનાગઢ તા.૧૦/૭/૨૦૨૬
જૂનાગઢ ખાતે આજે પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયાએ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી પ્રગતિનો અહેવાલ મેળવ્યો હતો. તેમણે વિકાસ કાર્યો ગુણવત્તાસભર, પારદર્શક અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

બેઠક દરમિયાન ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે કેશોદ એરપોર્ટ પર વર્ષ ૨૦૨૭ સુધીમાં એરબસ અને કાર્ગો ફ્લાઇટનું સંચાલન શરૂ થાય તે સરકારનો અભિગમ છે. આ લક્ષ્યને સમયસર સિદ્ધ કરવા માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરીમાં વધુ ઝડપ લાવવા તાકીદ કરી હતી.

તાજેતરમાં જૂનાગઢ પંથકમાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગે પણ તેમણે વિગતવાર માહિતી મેળવી હતી. સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના તમામ સંબંધિત વિભાગોને સતત સતર્ક રહી જરૂરી બચાવ અને રાહત કામગીરી માટે સજ્જ રહેવા સૂચના આપી હતી.

કેન્દ્રીય મંત્રીએ ખેડૂતો તથા સામાન્ય નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે અસરકારક આયોજન અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા અધિકારીઓને જણાવ્યું હતું. ઉપરાંત ઘેડ પંથકમાં હાથ ધરાયેલી વિવિધ કામગીરીની પણ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *