Latest

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

વાર્ષિક સાધારણ સભા, દાતાશ્રીના સન્માન અને તેજસ્વી તારલાઓના સન્માન કરાયા

આહીર સમાજના સમાજ શ્રેષ્ઠિઓ, વર્ગ 1 થી 4ના કર્મચારીઓ પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા

અમરેલી જિલ્લા આહીર કર્મચારીઓની સહકારી શરાફી મંડળીની રચનાનો કરાયો નિર્ણય

સમગ્ર ગુજરાત સહીત અમરેલી જિલ્લામાં આહીર સમાજના લોકો ખુબ મોટી સંખ્યામા વસવાટ કરે છે સમયની સાથે વિકાસનુ અનુકૂલન સાધી આહિર સમાજna યુવાઓ અને લોકોની શૈક્ષણિક ભૂખ ના પરીણામ થી આજે ખુબ મોટી સંખ્યામા લોકો સરકારી સહકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરી કરી રહ્યા છે અમરેલી જિલ્લામાં પણ ખુબ મોટી સંખ્યમાં આહીર સમાજના કર્મચારી હોવાથી બે વર્ષ પૂર્વે સામાજિક અગ્રણીઓના સૂચન અને લોક જાગૃતિથી અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળની સ્થાપના કરી સમગ્ર જિલ્લામાં વિવિધ વિભાગોમાં નોકરી કરતા આહિર સમાજના કર્મચારીઓને જોડવામા આવ્યા હતા અને સમગ્ર સંગઠનના વિવિધ પદો પર જવાબદારી સોંપવામાં આવી હતી

આ સંગઠન દ્વારા અમરેલી સ્થિત આવેલા ત્રિમંદીર ખાતે ત્રિવિધ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા દ્વિતીય વાર્ષિક સાધારણ સભા દાતાઓના સન્માન, તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મંડળની દ્વિતીય વાર્ષિક સાધારણ સભામાં નાણાકીય હિસાબો ખજાનચી હિતેષભાઇ સોરઠીયા દ્વારા રજુ થયા હતા

ત્યાર બાદ સમગ્ર જિલ્લા ના આહીર સમાજના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી બાળકોનું સન્માન કરાયું હતુ અને કાર્યક્રમ ના ખર્ચ ના દાતાશ્રીઓ, સમાજ શ્રેષ્ઠિઓ અને સમાજના અધિકારીઓ અને અમરેલી જિલ્લા માં નવા નોકરીમાં લાગેલા કર્મચારીઓને સન્માનિત કરી આવકારવામાં આવ્યા હતા

તો નિવૃત થતા કર્મચારીઓને પણ નિવૃત્તિ સન્માન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ માં મુખ્ય માહેમાન તરીકે આહીર સમાજના વર્ગ એક ના અધિકારીશ્રી વિકાસ યાદવ સાહેબ (આઇએફએસ,ઇસ્ટ ગીર ફોરેસ્ટ )દ્વારા માર્ગદર્શન અપાયું હતુ તો સમાજ શ્રેષ્ઠિઓ પ્રભાતભાઈ કોઠીવાળ, રાજુભાઈ ભૂતૈયા, જીતુભાઇ ડેર દ્વરા પણ સમાજ ઉપયોગી માર્ગદર્શન ને સૂચનો આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ માં આહિર કર્મયોગી મંડળના સ્થાપક પ્રમુખ ભરતભાઈ ડેર દ્વારા મંડળની કામગીરી બાબતે ઊંડાણ પૂર્વક ચર્ચાઓ કરી બે વર્ષમાં મંડળ દ્વારા કરાયેલા કાર્યોની ઝલક આપવામાં આવી હતી.

પરિવર્તનશીલ નેતૃત્વ મુજબ સંસ્થાના પ્રમુખ દ્વારા નવા પ્રમુખ તરીકે નુ હિમાંશુભાઈ કાલસરીયા ને સોંપવામાં આવ્યુ હતુ. આ તકે પ્રમુખ ભરતભાઈ ડેર અને નવ નિયુક્ત પ્રમુખ હિમાંશુભાઈ કલસરીયાને સમાજ અગ્રણીઓ દ્વારા સન્માનિત કરી શુભકામનાઓ પાઠવવા માં આવી હતી.

આ સાથે આહીર સમાજના કર્મચારીઓ માટે નાણાકીય મદદ અને સામાજિક પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવા માટે અમરેલી જિલ્લા આહીર કર્મચારી સહકારી શરાફી મંડળી ની રચના કરી બીજી સંસ્થા ના નિર્માણ માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં ફોરેસ્ટ વિભાગના આઇએફએસ વિકાસ યાદવ,જીએસટી અધિકારી ગીતાબેન જીંજાળા, આયોજન અધિકારી ભરતભાઈ જીંજાળા અમરેલી જિલ્લા આહિર સમાજના પ્રમુખ જીતુભાઇ ડેર, જિલ્લા પંચાયત સદસ્ય પ્રભાતભાઈ કોઠીવાળ, ભીખુભાઇ વાઘમસી, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભુતૈયા,મંડળ ના પ્રમુખ ભરતભાઈ ડેર, નવ નિયુક્ત પ્રમુખ હિમાંશુભાઈ કાલસરીયા સહીત સમાજના દાતાશ્રીઓ, કર્મચારીઓ મંડળના હોદેદારો, રાજકીયઅને સામાજિક આગેવાનો અને સમગ્ર જિલ્લા માથી આહિર સમાજના કર્મચારી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમ ને સફળ બનાવવા આહિર કર્મયોગી મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *