Ahmedabad

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં GISFS ના ઘાયલ ગાર્ડનું સારવાર દરમ્યાન અવસાન થતાં નીકળી અંતિમયાત્રા

અમદાવાદ, સંજીવ રાજપૂત, 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર ખાતે વિમાન ક્રેશ થયું જેમાં 250 ઉપર લોકોએ જીવ ગુમાવ્યા તો અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા. રાજેન્દ્ર તનુરાવ પાટનકર જીઆઈએસએફએસના સિક્યુરિટી ગાર્ડ‌ જેઓ તે સમયેઅતુલ્યમ -4 હોસ્ટેલ, બીજે મેડિકલ કોલેજ, અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા.

તે ગોઝારા દિવસે તેઓ તેમના પોઇન્ટની બિલ્ડીંગ પર ફરજ બજાવતા હતા જ્યાં વિમાન ટકરાયું હતું અને તે દરમ્યાન સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર ભાઈ ચાલુ ફરજમાં ઘાયલ થયા હતા.

તેઓને સારવાર માટે તત્કાલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા હતા. 18 જૂન 2025ના રોજ આશરે સાંજે 5:15 કલાકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. જેમની તા 19 ના રોજ અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન, . અંબિકા નગર વિભાગ-1, મેઘાણીનગર અમદાવાદથી અશોક મિલ સ્મશાન ખાતે નીકળવામાં આવી હતી.

જેમાં GISFSના‌ જવાનો તેમજ અધિકારી ગિરીશ ઠાકુર, વાય.એમ. સૈયદ, સેંગલ ચેતન, ઉમાકાંત પરમાર, ઓફિસ સ્ટાફ આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપવા સાથે જોડાયા હતા અને તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

સેલ્યુટ સાથે પોતાના સાથીને વિદાય આપતા ક્ષણભર માટે વાતાવરણ ગમગીન બન્યું હતું અને તમામ અધિકારીઓ અને જવાનોએ પરિવારને સાંત્વના આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને સ્વજનોને સાંત્વના પાઠવી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ…

1 of 19

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *