શક્તિપીઠ અંબાજી માં અંબાના ભક્તો અતૂટ શ્રદ્ધાથી દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજરોજ યોગિની એકાદશીના પાવન દિવસને તારીખ 22/06/2025ના રોજ રાજકોટના દાતાશ્રી જયંતીભાઈ કેશવભાઈ પરસાણા પરિવાર, તરફથી માતાજીના ચરણોમાં સોનાનો મુગટ-1, સોનાનું છત્ર-1, સોનાનો ટુકડો-1 જેનું કુલ વજન 70.16 ગ્રામ જેની કુલ રકમ રૂ.6,38,452/- તથા ચાંદીનું છત્ર નંગ-1 જેનું વજન 895 ગ્રામ જેની કુલ રકમ રૂ.85,920/- ના દાગીના મા અંબાના ચરણોમાં અર્પણ કરેલ છે .
ઉપરાંત શ્રી અંબિકા ભોજનાલય અન્નક્ષેત્રમાં રૂપિયા 3,02,000/- તિથિ ભોજન નિમિત્તે પણ દાન અર્પણ કરેલ છે.
આજના પાવન દિને દાતાશ્રી દ્વારા દાગીના તથા રોકડ સ્વરૂપે કુલ રૂપિયા 10,26,372/- નું કુલ દાન- ભેટ અર્પણ કરેલ છે.
દાતાશ્રી દ્વારા આજરોજ મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેકટર કચેરી ખાતે દાન આપવામાં આવ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા દાતાશ્રીને આવકારી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી