Devotional

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમ માં ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા,છપ્પન ભોગ, ભવ્ય દરબાર સહિત અલૌકિક શૃંગાર કરવામાં આવશે…..

કાર્યક્રમ માં મથુરા વૃંદાવન ,રાજ. અને હરિયાણા ના સંગીત કલાકારો પોતાની કલા નો રસ પાન કરાવશે…..

આવનાર ભક્તો માટે ભોજન પ્રસાદી સહિત બાબા ના આશીર્વાદ લેવા સાદર આમંત્રિત કરાયા છે…..

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવનાર તા.૧૨ એપ્રિલ ના રોજ શ્રી શ્યામ મિત્ર મંડળ અંબાજી દ્વારા બાબા ખાટુ શ્યામ નો ભવ્ય દરબાર સહિત ભજન સંધ્યા કાર્યક્રમ યોજાનાર છે.જેમાં આ ભવ્ય દરબાર માં વિવિધ કાર્યક્રમો યોજાશે .

દર વર્ષે અંબાજી ખાતે શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા બાબા શ્યામ ના ભવ્ય દરબાર નું આયોજન કરવામાં આવે છે જેમાં શ્યામ ભક્તો દ્વારા જ આ કાર્યક્રમ યોજાય છે અને સમગ્ર ગામ લોકો ને બાબા ના દર્શન , દરબાર , અલૌકિક ઝાંખી તેમજ  બહાર ગામ થી આવતા લોક ગાયક કલાકારો ની સુર – સંગીત ની સરવાણી નો લ્હાવો લેવાનો લાભ મળે છે ,ત્યારે આ વખતે યોજાનાર કાર્યક્રમ તા.૧૨ એપ્રિલ ના રોજ રોજ મૈત્રી અંબે સોસાયટી ખાતે યોજાશે જેમાં તા.૧૨ એપ્રિલ ના રોજ સવારે ૦૮:૪૫ વાગ્યે બાબા શ્યામ ની નિશાન ( ધજા ) યાત્રા નો મંદિર ના મુખ્ય પ્રવેશ દ્વાર શક્તિ દ્વાર ખાતે થી શુભારંભ કરી  અંબાજી નગર ની મુખ્ય બજાર માં થી થઈ બાબા શ્યામ ના દરબાર સ્થળે પહોંચશે.તેમજ સાંજ ના સુમારે બાબા ની આરતી , છપ્પન ભોગ બાદ ભવ્ય દરબાર ની શરૂઆત થશે જેમાં બાબા નો પુષ્પો વડે અલૌકિક શણગાર, ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા, વગેરે બાદ લોક ગાયક કલાકારો પોતાના સૂરો ની સરવાણી રેલાવશે જેમાં આ વખતે મથુરા – વૃંદાવન થી કોમલ – કિશોરીજી ની બેલડી,અલવર ( રાજ.) થી સવિતા રાજસ્થાની,બિકાનેર ( રાજ.) થી પ્રવેશ શર્મા પોતાના સુરીલા સ્વરો વડે વાતાવરણ ને શ્યામમય બનાવશે તેમજ લક્કી મ્યુઝિકલ ગ્રુપ કનીના ( હરિયાણા ) પોતાના સંગીત ના સૂરો રેલાવશે, તેમજ આવનાર ભક્તો માટે ભોજન પ્રસાદી , અને ચા – પાણી ની વ્યવસ્થા પણ રખાઈ છે જેનો લાભ લેવા ગામ લોકો ને આમંત્રિત કરાયા છે.

રિપોર્ટર… અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

અંબાજી દર્શન હવે વધુ સુલભ: પ્રસાદ બુકિંગથી લઈને ડોનેશન સુધીની તમામ સુવિધા મોબાઈલ…

1 of 26

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *