bhavnagar

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું

ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬
વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા ભાવનગરના ૩૦૪માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત આયોજિત ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ આજે ભાવનગર શહેરમાં ભવ્યતા અને ઉત્સાહ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

શહેરના રેલવે સ્ટેશન ખાતે સવારે ૧૧ કલાકે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, સમાજના આગેવાનો તેમજ મહિલાઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાવનગર નું એક માત્ર રેલવેસ્ટેશન કે જ્યાં મહિલા કુલી કામ કરી રહી છે જેની સાથો સાથ પેરા ઓલમ્પિક અને નેશનલ લેવલની રમતો મા વિજેતા થયેલા  મહિલાઓના યોગદાનને સન્માનિત કરવાનો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ગૌરવમય બની ગયું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા નારી શક્તિના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો અને મહિલાઓના સશક્તિકરણ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.

આ કાર્યક્રમનું સંચાલન વિદ્યા વિહાર કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ધર્મિષ્ઠાબેન દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ કાર્યકરો અને ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમ અંતે સૌએ નારી સન્માન અને સમાનતાના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર આયોજન ભાવનગર શહેર માટે એક પ્રેરણાદાયી અને યાદગાર ક્ષણ બની રહ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજન

પશ્ચિમ રેલવેના રાજભાષા વિભાગ દ્વારા તા. 31-03-2026ના રોજ ભાવનગર પરા સ્થિત પશ્ચિમ…

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *