Latest

દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્રુપનો ભવ્ય કાર્યક્રમ

દિલ્હી ખાતે આવેલ ગુજરાત ભવનમાં 1 મે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સંસ્કાર ગ્રુપ, ભાવનગર દ્વારા એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસંસ્કૃતિની સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેને દર્શકો તરફથી ભારે પ્રશંસા મળી હતી.

કીર્તિદેવસિંહ ગોહિલના સંચાલનમાં સંસ્કાર ગ્રુપ દ્વારા રજૂ થયેલા આ કાર્યક્રમમાં યુવક અને યુવતીઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે વિવિધ પ્રસ્તુતિઓ આપી હતી. કાર્યક્રમનું નેતૃત્વ ધૈર્યદીપસિંહ ગોહિલ, અંકિત ચાડ તેમજ બહેનોમાં પ્રિતીબા ગોહિલ અને રિદ્ધિ ડોડિયા દ્વારા સંભાળવામાં આવ્યું હતું. તમામ કલાકારોએ સંકલિત પ્રયત્નોથી એક યાદગાર પ્રસ્તુતિ આપી હતી.

કાર્યક્રમમાં ભાગ લેનાર કલાકારો ધૈર્યદીપસિંહ ગોહિલ, ચુડાસમા યુવરાજ, પારેખ ઓમ, ધાપા હાર્દિક, ચાડ અંકિત, ઝાલા કૃષ્ણરાજસિંહ, યશવર્ધનસિંહ ગોહિલ, જાડેજા વિશ્વરાજસિંહ, રાઠોડ કીર્તિરાજ, રિદ્ધિ ડોડિયા, નાથાણી કાશિશ, ઝાલા વિભૂતિ, હીરલ ડાભી, અંકિતા મકવાણા, પ્રિયાંશી વકાણી, મૈત્રી નાથાણી, ખેવાના ડાભી અને પ્રિતીબા ગોહિલ. સમગ્ર ઇવેન્ટ ને લાઇનઅપ કરવા વિસ્મય શુક્લા અને વિરલ રાઠોડે અગત્યની ભૂમિકા ભજવેલ.

શ્રી કીર્તિદેવસિંહ ગોહિલના આ સંસ્કાર ગ્રુપે ગુજરાતની લોકકલાને રાષ્ટ્રીય સ્તરે પ્રસ્તુત કરી ગૌરવ વધાર્યું છે. એ ત્રાપજ માટે પણ ખૂબ ગૌરવની વાત કહેવાય.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 629

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *