Junagadh

જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેન્ડે પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ સુવિધાઓનું કર્યું નિરીક્ષણ

જૂનાગઢ, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: વન અને પર્યાવરણ તથા પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી સાસણ ગીર ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રિ-સમિટમાં સહભાગી થયા બાદ જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેન્ડની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મુસાફરો માટે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ મુસાફરો સાથે સંવાદ સાધી તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.

રાજ્યમંત્રી માળીએ બસ સ્ટેન્ડ ખાતે સ્ટોલ ધારકો અને દુકાનદારો સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી હતી. સાથે જ તેમણે યાત્રિકોને ઉનાળાની ભારે ગરમીથી બચવા સતત હાઈડ્રેટ રહેવા અને ઓઆરએસનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. પ્રતિકાત્મક રૂપે તેમણે શરબત વિતરણ કેન્દ્ર પરથી મુસાફરોને શરબતનું વિતરણ પણ કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન મેયર ધર્મેશભાઈ પોશિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર તથા શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમંત્રીનું એસ.ટી. વિભાગના યાંત્રિક ઇજનેર એન.બી. વરમોરા, વહીવટી અધિકારી ડી. વાઘેલા, ડેપો મેનેજર એ.પી. કરમટા તેમજ એસ.ટી. કર્મચારી મંડળ અને મજદૂર સંઘના હોદ્દેદારોએ સ્વાગત કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: એબીએનએસ: જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ…

કેશોદ અને માંગરોળ ખાતે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક-માધ્યમિક તથા ઉચ્ચ અને તાંત્રિક…

જૂનાગઢ પોસ્ટ ઓફિસમાં તારીખ ૨૧ જુલાઈ ના રોજ ડિવિઝનની પોસ્ટ ઓફિસમાં કોઈપણ જાહેર વ્યવહાર થશે નહીં

જૂનાગઢ, સંજીવ રાજપૂત: પોસ્ટ વિભાગ દ્વારા નેક્સ્ટ જનરેશન એપીટી એપ્લિકેશન લોન્ચ…

જૂનાગઢ ખાતે પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની આગળ ધપાવવા અધિકારીઓને કર્મચારીઓને આહ્વાન કરતા રાજયપાલશ્રી

જૂનાગઢ: સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ અને રાજકોટ વિભાગના ૧૦…

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *