ક્ષત્રિય કરણીસેના ભાવનગર ની તથા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ભાવનગર ની બેઠક મળી હતી જેમા હમણા તાજેતર માં ક્ષત્રિય રાજપૂત સમાજ ના યુવાન એક્સ આર્મીમેન સ્વ. મહાવીરસિંહજી સિંધવ (ચોકડી) નુ અમદાવાદના બોપલ માં જે રીતે પોલિસ આવવાના ભય થી મહાવિરસિંહ નુ અક્ષર લકઝુરીયા ફ્લેટ ના ચોથા માળે પડવાથી આકસ્મિક મૃત્યુ દર્શાવવામાં આવે છે.
એ મૃત્યુ નુ રાજપૂત સમાજ ને શંકાસ્પદ લાગી રહ્યુ હોય તો શંકાસ્પદ મૃત્યુની યોગ્ય નિષ્પક્ષ ઉચ્ચ સ્તરીય પોલીસ તપાસ થાય તથા મીડિયા કર્મીઓ ને મહાવીરસિંહજી સિંધવ ના દ્વારા થયેલા સકારાત્મક કાર્યો દર્શાવવા ક્ષત્રિય કરણીસેના ભાવનગર તથા રાજપૂત સમાજ ભાવનગર ના આગેવાનો અને યુવાનોની માંગ ઉઠી છે.
















