Latest

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

પ્રતિનિધિ મંડળ પહોંચ્યું સાંસદ કાર્યાલય ખાતે. ધારી તેમજ વિસાવદર ખાતે વિશાળ રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવવામાં આવશે…….

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી-ચલાલા પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમેટી તેમજ જાગૃત નાગરિકો દ્વારા અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવેલ. આ સાથે સાંસદ કાર્યાલય ખાતે રજુઆત કરવા માટે પહોંચ્યુ પ્રતિનિધિ મંડળ, ડો. કાનાબાર સાથે પણ મુલાકાત કરીને વહેલાં માં વહેલી તકે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મંજુર કરવા માટે ચર્ચા ઓ કરવામાં આવી હતી.

ઉપરોક્ત વિગત અનુસાર ધારી પત્રકાર સંઘ તેમજ અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ તા. ૦૩/૦૮/૨૦૨૬ સોમવારે બપોર ના ૧૧:૦૦ કલાકે રાજકમલ ચોક ખાતે સહુ લોકો હાજર રહેલા હતા. પ્રથમ ડો. જીવરાજ મહેતા ની પ્રતિમા ની સાફ સફાઈ કર્યાં બાદ હારતોરા કરીને સહુ પ્રતિનિધિ મંડળ અમરેલી જિલ્લા કલેકટર અધિકારી ને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચેલા હતા. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ને ઉદ્દેશી ને લખવામાં આવેલ આવેદનપત્ર સબબ જીલ્લા કલેકટર અધિકારી ને લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી હતી.

ત્યારબાદ પ્રતિનિધિ મંડળ સાંસદ કાર્યાલય ખાતે રજુઆત કરવા માટે પહોંચેલા હતા પરંતુ સમય અને સંજોગો મુજબ સાંસદ ભરતભાઈ સુતરીયા હાજર હતા નહીં એટલા માટે સાંસદ ના પીએ ને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. ત્યારબાદ અમરેલી જીલ્લાના વરિષ્ઠ રાજકીય આગેવાન ડો. કાનાબાર ની પણ મુલાકાત કરવામાં આવેલ હતી જે મુલાકાત માં અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા વ્હેલા માં વહેલી તકે આપવામાં આવે તે અંગે ચર્ચા ઓ કરવામાં આવેલ હતી.

ઉલ્લેખનીય છે કે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી પત્રકાર સંઘ બિનરાજકીય મિશન ચલાવી રહેલ છે ત્યારે આગામી સપ્તાહમાં ધારી ખાતે આવેલ તાલુકા પંચાયત ચોક થી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર પાઠવવા જય રહેલ છે.

દેશના મોટાભાગના વિસ્તારોમાં બ્રોડગેજ સુવિધા પહોંચાડવામાં આવેલ છે ત્યારે અમરેલી જીલ્લાના ધારી ચલાલા વિસાવદર સાથે હળહળતો અન્યાય કેમ કરવામાં આવેલ છે તેવા સવાલો ઉભા થય રહેલ છે ત્યારે અસરકારક રીતે રેલીનું આયોજન કરવામાં આવેલ છે તેવું ધારી પત્રકાર સંઘ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

1 of 140

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *