Ahmedabad

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિની સાથે રાષ્ટ્રની સુરક્ષા અને સેવા માટે સમર્પિત વિવિધ સુરક્ષા દળોના જવાનોની શિસ્તબદ્ધ હાજરીએ સમગ્ર યાત્રામાં રાષ્ટ્રગૌરવનો માહોલ સર્જ્યો હતો. રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ વિશાળ યાત્રામાં પોલીસ વિભાગ, ટ્રાફિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, ફાયર વિભાગ, CRPF, હોમગાર્ડ, ચેતક કમાન્ડો તેમજ વિવિધ મિલિટ્રી દળોના જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

બિગ બજાર – રાયપુરથી પ્રસ્થાન કરેલી તિરંગા યાત્રામાં સુરક્ષા દળોના જવાનો દ્વારા બાઈક રેલી તથા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. તિરંગો હાથમાં લઈને બાઈક પર સવાર જવાનોની રેલી અને વિવિધ સુરક્ષા દળોની પરેડે ઉપસ્થિત નગરજનોમાં દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.

પોલીસ વિભાગ અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા બાઈક રેલી સાથે યાત્રામાં જોડાઈને કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક શિસ્ત અંગેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના જવાનો, ફાયર વિભાગના કર્મચારીઓ, CRPFના જવાનો, હોમગાર્ડ તથા ચેતક કમાન્ડોએ પણ તિરંગા યાત્રામાં પોતાની આગવી શૈલીમાં ભાગ લઈને યાત્રાની ભવ્યતામાં વધારો કર્યો હતો.

વિવિધ મિલિટ્રી દળોના જવાનોની ઉપસ્થિતિએ યાત્રામાં વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું. રાષ્ટ્રની સુરક્ષા માટે સતત તત્પર રહેતા જવાનો જ્યારે હાથમાં તિરંગો લઈને શહેરની જનતા સાથે દેશભક્તિના આ મહાપર્વમાં જોડાયા ત્યારે સમગ્ર વાતાવરણ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું.

તિરંગા યાત્રામાં સુરક્ષા દળોની આ સહભાગિતાએ ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને ઉજાગર કરવાની સાથે નાગરિકો અને સુરક્ષા જવાનો વચ્ચેના આત્મીય સંબંધને પણ વધુ મજબૂત બનાવ્યો હતો. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેના સન્માનનો સંદેશ આપતી આ પરેડ તિરંગા યાત્રાનું વિશેષ આકર્ષણ બની રહી હતી.

અમદાવાદના નગરજનો દ્વારા પણ સુરક્ષા દળોના જવાનોનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન તિરંગાની શાન અને દેશભક્તિના ઉલ્લાસ સાથે અમદાવાદે રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ આપ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

AMC દ્વારા આયોજીત ચાંદલોડિયા-ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રાથી છવાયો દેશભક્તિનો માહોલ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશના…

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય…

1 of 34

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *