કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં માસિક સ્વચ્છતા, આરોગ્ય, પોષણ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે વૈજ્ઞાનિક જાગૃતિ કેળવવાનો તેમજ માસિક ધર્મ સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધા અને સંકોચ દૂર કરવાનો હતો.
કાર્યક્રમના મુખ્ય ઉદ્ઘાટન પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ. એચ. વી. સેંજલિયાએ વિદ્યાર્થીનીઓને માસિક સ્વચ્છતા અંગે જાગૃત બનવા, વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા તથા માસિક ધર્મ અંગેની સામાજિક ગેરમાન્યતાઓથી મુક્ત થવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માટે આચાર્યશ્રીનું સતત માર્ગદર્શન, સહયોગ અને પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું.
પ્રથમ દિવસ – તા. 17 ઓગસ્ટ, 2026:
જે.સી. કુમારઅપ્પા મહાવિદ્યાલય, ગઢડા તથા ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે વ્યાખ્યાન અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીનીઓને માસિક દરમિયાન સ્વચ્છતા જાળવવાની પદ્ધતિ, યોગ્ય સ્વચ્છતા સાધનોનો ઉપયોગ, પોષણ, આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પોતાની સમસ્યાઓ અંગે નિષ્ણાતો સાથે સંવાદ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી.
દ્વિતીય દિવસ – તા. 18 ઓગસ્ટ, 2026:
ક. ર. વી. ગો. કન્યા વિદ્યાલય, ગઢડા તથા સમાજશાસ્ત્ર વિભાગ, એમ. કે. ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર ખાતે વ્યાખ્યાન યોજાયું. જેમાં માસિક ધર્મ સાથે સંકળાયેલી સામાજિક-સાંસ્કૃતિક માન્યતાઓ, લિંગ સમાનતા અને માસિક સ્વચ્છતાના સામાજિક પરિપ્રેક્ષ્ય અંગે ચર્ચા કરવામાં આવી તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
તૃતીય દિવસ – તા. 19 ઓગસ્ટ, 2026:
મહારાણીશ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભાવનગર તથા શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, (અંગ્રેજી માધ્યમ)ભાવનગર ખાતે કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીનીઓને માસિક સ્વચ્છતા, આરોગ્ય, પોષણ, આત્મવિશ્વાસ અને સ્વચ્છ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અંતે વિદ્યાર્થીનીઓના પ્રશ્નોના નિષ્ણાત વક્તાઓ દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા.
કાર્યક્રમમાં Dr. Arunima Chauhan, Menstrual Hygiene Expert, Sulabh International Social Service Organisation, New Delhi તથા Ms. Dipti Julka , Menstrual Hygiene Expert, Sulabh International Social Service Organisation, New Delhi દ્વારા નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવ્યું. બંને નિષ્ણાતોએ માસિક સ્વચ્છતા સાથે સંકળાયેલા આરોગ્ય અને સામાજિક પાસાઓ અંગે સરળ, વ્યવહારુ અને વૈજ્ઞાનિક સમજણ આપી હતી.
કાર્યક્રમના આયોજન અને સફળ સંચાલનમાં એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. આઇ. જે. સુતરિયા, ડૉ. આર. એ. વાઢેર, શ્રી ચંદ્રેશભાઈ ચૌહાણ, સપ્તધારા Co-ordinator ડૉ. વી. એસ. ચૌધરી તથા CWDC Co-ordinator ડૉ. આર. એ. વાઢેરની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. કોલેજના IQAC કો ઓર્ડીનેટર ડૉ.રાજેશ કોઠારી ,ડૉ.જે.એ.રાણા,ડૉ.એ.ડી.લાણીયા,ડૉ.એસ.એલ.મોરી,ડૉ.ચંદ્રકાંત ગોહેલ તેમજ તમામ અધ્યાપકો દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો.
આચાર્યશ્રી ડૉ. એચ. વી. સેંજલિયાના માર્ગદર્શન, નિષ્ણાત વક્તાઓના જ્ઞાનસભર માર્ગદર્શન તથા NSS, CWDC અને સપ્તધારાના સંયુક્ત આયોજન અને સંકલિત પ્રયાસોથી ત્રણ દિવસીય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓમાં માસિક સ્વચ્છતા અંગે વૈજ્ઞાનિક સમજણ, આરોગ્ય જાગૃતિ અને સકારાત્મક અભિગમ વિકસ્યો તથા માસિક ધર્મ અંગે ખુલ્લી ચર્ચા અને સામાજિક ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધા તથા સંકોચ દૂર કરવાની દિશામાં મહત્વપૂર્ણ જાગૃતિ સર્જાઈ.
















