Breaking NewsLatest

મેઘરજ તાલુકા ના વન વિભાગના બીટગાર્ડ ની ચાંડાલ ચોકડી ખેડૂતો ને હેરાન પરેશાની કરી તોડ કરવા પેધા પડેલા કર્મચારીઓ ને સરકાર સબક શીખવાડે તેવી ખેડૂતો ની માંગ

મેઘરજ તાલુકા માં કેટલાક બીટગાર્ડઓ દ્વારા પોતાના સેજા સિવાય ના વિસ્તારો અને પોતાના સેજાઓ માં આવતા ખેડૂતો ના ટ્રેકટેરો દ્વારા ખેડાણ પોતાની જમીનો માં કરતા હોવા છતાં ડરાવી ધમકાવી અને મારઝૂડ કરી રીતસર ના તોડ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે અને આ ચાંડાલ ચોકડી થી આદિવાસી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે કેટલાક વિશ્વસનીય સૂત્રો માંથી મળેલી માહિતી મુજબ ગત રોજ મેઘરજ તાલુકાના ધાધિયા ગામના વિસ્તાર ના એક ખેડૂત સરકારી કામ અર્થે ગોચરમાંથી પથ્થરો ભરી ટેકટર જતું હતું ત્યારે ટેકટર ને રોકવી વાસ્તુપાસ નથી તમે કેમ પથ્થરો ભરી લઈ ને નીકળ્યા કહી ખેડૂતોને હેરાન પરેશાન કરતા હતા અને જો ખેડૂત ગુન્હેગાર હતો તો કાયદેસરની કાર્યવાહી કેમ કરી નથી અને ટેકટર ખાડીવાવ ના રસ્તે લઈ ગયા અને ખેડૂત પાસે જાણકારો ના જણાવ્યા મુજબ 25000 થી વધુ રૂપિયાનો તોડ કરી છોડી મૂક્યું હતું છેલ્લા કેટલાક વર્ષો થી એક ની એકજ રેન્જ અને બીટ માં નોકરી કરતા આ ત્રણ ચાર કર્મચારીઓ ની ચાંડાલ ચોકડી રોજ ની એક લાખ રૂપિયા ની પ્રેકટીસ કરતા હોવાની જાણકારો જણાવી રહ્યા છે એટલુંજ નહિ તેમની સંપત્તિ માં પણ કરોડો ની બનાવી દીધી આલીશાન લકઝરીયાસ મોંઘીદાટ ગાડીઓ પણ ધરાવે છે આદિવાસી ભોળી જનતા ને હેરાન પરેશાન કરવા નું જો આમ ને આમ ચાલશે તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો મોટી અસરો થશે આદિવાસી જનતા ને આ ટોળકી રીતસર ના હેરાન પરેશાન કરી રહ્યા છે ગત વર્ષે એક જેસીબી દ્વારા પોતાની માલિકી ની જમીન માં કામ કરતું ત્યારે આ ટોળકીએ પકડી લીધું હતું તેમાં એક લાખ જેટલો તોડ કરેલો જે અંગે ભાજપ ના અરવલ્લી જિલ્લા કક્ષાના હોદ્દેદાર ને જાણ કરતા તેમની મધ્યસ્થી થતાં રૂપિયા પાછા આપવા પડ્યા હતા આ ટોળી દ્વારા ઉચ્ચતર સુધી હપ્તા પહોચતા કરતા હોય છે જેઠી તેમનું કોઈ કશું બગાડી શકવા નું નથી જાવ જ્યાં જવું હોય ત્યાં તેવું પણ ખેડૂતો ને જણાવી રહ્યા છે ડી એફ ઓ તેમજ રેન્જ ફોરેસ્ટર અધિકારી અને કંજરવેટર ફોરેસ્ટ અધિકારી અને વનમંત્રી સુધી અમારી પહોંચ છે તમે જાણો છો ને અમો કેટલા વર્ષો થી આજ વિસ્તારમાં નોકરી કરીએ છીએ આતો આમજ ચાલશે લાવો પૈસા નહિતર તમને અને તમારી મશીનરી સળી જશે કોઈ નહિ છોડાવી શકે આમ ધમકાવી રૂપિયા પડાવતા હોવાની ચર્ચાઓ જોર પકડી છે હવે જોવું રહ્યું કે આ ચાંડાલ ચોકડી ને રાજ્ય સરકાર અને વન વિભાગ ના અધિકારીઓ પ્રામાણિક તપાસ કરી કડક કાર્યવાહી કરશે કે હોતી હૈ ને ચાલશે તે જોવું રહ્યું કિસાનો ના સંઘઠન દ્વારા આંદોલન પણ થઈ શકે તેવા સુર પણ સંભળાય છે કિસાનો ની મદદ કરશે કે કેમ તે પણ જોવું રહ્યું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *