Ahmedabad

અમદાવાદ પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘની 50મી ઉજવણીના ધ્વજાનો સુવર્ણ મહોત્સવ યોજાશે

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘના 50મી સાલગીરીની ધ્વજાની સુવર્ણ મહોત્સવ તારીખ ૧૭ થી ૨૫ જાન્યુઆરી સુધી યોજવા જઇ રહ્યો છે.

આ ૫૦મી સાલગીરીની ધ્વજા સુવર્ણ મહોત્સવનો પ્રારંભ ૧૭ જાન્યુઆરી પોષ વદ ચૌદસના શનિવારના રોજ આ જૈન સંઘના સ્થાપક પ.પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજાના પ્રશિસ્ય રત્ન પૂજ્ય બાપજી મહારાજ સાહેબની ઉજ્જવલ પરંપરાના સંવાહક ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં યોજાનાર છે. આ ધ્વજા સુવર્ણ મહોત્સવ મહા સુદ ૬ ને ૨૫ જાન્યુઆરીના રોજ સમાપન થશે.
મહોત્સવના પ્રથમ દિવસે ૧૦૦૮ જેટલા જૈન શ્રાવક અને શ્રાવીકા સામુહિક આયંબીલ તપ કરશે. મહત્વની વસ્તુ એ છે કે જૈન શ્રાવક અને શ્રાવિકા ને જૈન ધર્મના જ્ઞાનની કસોટી રૂપે તારીખ ૧૯ જાન્યુઆરીના રોજ રાત્રે ૮ કલાકે કૌન બનેગા સમ્યકજ્ઞાની ની કસોટી પણ રાખવામાં આવેલ છે. આમા બાળકોના જ્ઞાનમાં જૈન શાસનની કાર્ય શૈલીનુ વધારાનું જ્ઞાન મળી શકે તે માટે આ ક્વીઝનું આયોજન
કરેલ છે.

પંકજ જૈન સંઘના ટ્રસ્ટી અશોકભાઈ જયંતીલાલ શાહ એ પંકજ જૈન સંઘની ૫૦મી સાલગીરીની ધ્વજા સુવર્ણ મહોત્સવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ૯ દિવસ ચાલનારા ધ્વજા સુવર્ણ મહોત્સવ દરમ્યાન ૨૪ ભગવાનના ત્રિગડા સાથે સ્નાત્ર મહોત્સવ જેમાં શ્રી સંભવનાથ ભગવાન, આદિશ્વર ભગવાન અને મહાવીર સ્વામી ભગવાનના સમાવેશ થાય છે. આ મહોત્સવ દરમ્યાન કુંભ સ્થાપના, જવારા રોપણ, અર્હત મહાપૂજન, દિપક સ્થાપના, નવગ્રહ પાટલા પૂજન, અષ્ટમંગલ પાટલા પૂજન જેવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

તારીખ ૧૭જાન્યુઆરીના રોજ સવારે ૮:૩૦ કલાકે ગુરુ ભગવંતો નો રાજાશાહી પ્રવેશ, સામુહિક ૧૦૦૮ આયંબીલ તપ. તારીખ ૧૮ જાન્યુઆરીના રોજ સંગીતકાર(શ્રીપાળ રાજા) નો વિશિષ્ટ ચોવીસ ત્રીગડા સાથે ભવ્ય સ્નાત્ર મહોત્સવ, રાત્રે ૮ કલાકે “હર કાર્ય સંભવ હૈ” વિષય પર શ્રી રાહુલ કપૂર જૈન (મોટીવેશનલ સ્પીકર) યુવાનોને પ્રોત્સાહિત કરશે.૧૯જાન્યુઆરીના રોજ સવારે ૮:૩૦ કલાકે શ્રી ભક્તામર પૂજન અને ૨:૩૦ વાગે પાશ્વ પંચ કલ્યાણકની પૂજા. ૨૦ જાન્યુઆરી ના રોજ સવારે ૮:૩૦ કલાકે શ્રી સંતિકરું પૂજન બપોરે ૨:૩૦ કલાકે સાધ્વીજી ભગવંતો નું પ્રવચન. ૨૧ જાન્યુઆરીના રોજ ભવ્ય અર્હત મહાગુજન ૧. ૨૨ જાન્યુઆરીના રોજ સવારે ૮:૩૦ કલાકે ભવ્ય અર્હત મહાગુજન ૨.રાત્રે ૮ કલાકે “એક શામ સંભવનાથ ભગવાન કે નામ”.. ૨૩ જાન્યુઆરી રોજ સવારે ૮:૩૦ કલાકે ભવ્ય રથયાત્રા બપોરે ૧૨:૩૦ કલાકે અર્હત પૂજન 3 તેમજ સાંજે ૮ કલાકે મહા આરતી. ૨૪ જાન્યુઆરી રોજ બપોરે ૧૨:૩૯ કલાકે બૃહદ શાંતિ સ્નાત્ર, સાંજે ૭ કલાકે મહાપૂજા ઉદઘાટન, જિનાલય. ૨૫મી જાન્યુઆરીના રોજ સવારે શુભ મુહુતૅ દ્વાર ઉદ્ઘાટન, સત્તર ભેદી પૂજા સંભવ મહિલા મંડળ દ્વારા ભણાવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યની રક્ષા શક્તિને વધુ પ્રબળ બનાવતા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક…

1 of 29

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *