Ahmedabad

અમદાવાદ ખાતે રબારી સમાજના સમૂહ લગ્નોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રીની રહી પ્રેરક ઉપસ્થિત

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે આયોજિત રબારી સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ નવ પરણિત યુગલોને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દીકરીઓને કન્યાદાન રૂપે ભેટ અપાઈ હતી.

રબારી સમાજના જયરામભાઈ મોતીભાઈ દેસાઈ – સુરપુરા વાળા પરિવાર દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં 16 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.

આ પ્રસંગે વાળીનાથ ધામના મહંત શ્રી જયરામગીરી બાપુ, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, સાંસદ મયંક નાયક, સર્વે ધારાસભ્યઓ અમિતભાઈ શાહ, ડો.હર્ષદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ પટેલ, માવજીભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, સમાજના સંતો-મહંતો, અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અરવિંદભાઈની આમળાની અધધધ આવક…આઠ પાસ અરવિંદભાઈ કોઈ મલ્ટિનેશન કંપનીના સીઈઓ જેટલી વાર્ષિક આવક મેળવે છે

પ્રાકૃતિક ખેતી – અમદાવાદ જિલ્લો અમદાવાદ, સંજીવ રાજપૂત: ‘આમદાની અઠન્ની, ખર્ચા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન સિંદૂરને વધાવવા અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રા બાઈક રેલીમાં જોડાયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન…

અમદાવાદ ઝોન 6 પોલીસ અને સામાજિક સંસ્થાઓના સહિયારે પોલીસ પરિવારના બાળકો માટે સ્મર કેમ્પનું આયોજન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: બાળકોનો રચનાત્મક અને સર્વાંગી વિકાસ થાય તેના માટે અમદાવાદ…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *