Ahmedabad

વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સોલા ઉમિયા કેમ્પસ ખાતે અમદાવાદ ગ્રામ્યનો જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો હતો. શ્રી મેઘમણી પરિવાર ઉમિયા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાયેલા કલા ઉત્સવમાં ૭૮ શાળાના ૪૪૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

એન.સી.ઈ.આર.ટી, ન્યુ દિલ્હી તથા સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ ‘વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર યોજાયો હતો.

કાળા ઉત્સવ અંતર્ગત અલગ અલગ ૧૨ કેટેગરીમાં સ્પર્ધા મુજબ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા, જેમાંથી પ્રથમ નંબરે આવનાર વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ‘વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર ગાયન, વાદન, ચિત્રકલા પર આધારિત અનેકવિધ કલા કૃતિઓ રજૂ કરી હતી.

કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન. પ્રજાપતિ, નોડલ અધિકારીઓ, શિક્ષણ નિરીક્ષક ચારુશિલાબેન મકવાણા, ઇન્દુબેન ચાવડા, સ્નેહલભાઈ વૈદ્ય, યજમાન શાળાના ટ્રસ્ટી અરવિંદભાઈ પટેલ, શાળાના આચાર્ય મિનાક્ષીબેન પટેલ, નિર્ણાયકઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *