પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં સુરક્ષિત રેલ સંચાલનમાં ઉત્તમ યોગદાન આપનાર ચાર કર્મચારીઓને આજે મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા દ્વારા ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર (DRM Safety Award) થી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન સમારોહ મંડળ રેલ પ્રબંધક કચેરી, ભાવનગર પરા ખાતે યોજાયો હતો.
સન્માનિત કર્મચારીઓમાં શ્રી કન્હૈયાલાલ કનાડા (પ્વાઇંટ્સમેન–ધોલકા), શ્રી ઘનશ્યામ સી. (પ્વાઇંટ્સમેન–લાઠીદડ સ્ટેશન), શ્રી સતીશ જી. (પ્વાઇંટ્સમેન–બોટાદ જંકશન) અને શ્રી સત્યજીત પાંડે (પ્વાઇંટ્સમેન–અલમપર સ્ટેશન)નો સમાવેશ થાય છે.
આ કર્મચારીઓએ પોતાની સતર્કતા, સમજદારી અને ઝડપી કાર્યવાહીથી સંભવિત અકસ્માતોને ટાળી રેલ સંરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મંડળ રેલ પ્રબંધકે પુરસ્કાર મેળવનાર કર્મચારીઓની પ્રશંસા કરી અને તેમને અન્ય કર્મચારીઓ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા. તેમણે જણાવ્યું કે કર્મચારીઓની ઉચ્ચ પ્રતિબદ્ધતા અને કર્તવ્યનિષ્ઠા સુરક્ષિત રેલ સંચાલનની આધારશિલા છે.
ઘટનાઓનો સંક્ષિપ્ત વર્ણન:
શ્રી કન્હૈયાલાલ કનાડાએ 10 માર્ચ 2026ના રોજ ટ્રેન નંબર 20965 ગાંધીગ્રામ–ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસના એસએલઆરમાંથી ધુમાડો નીકળતો જોયો. તેમણે તરત જ ટ્રેન મેનેજર અને સ્ટેશન માસ્ટરને જાણ કરી, જેના પરિણામે ધોલકા સ્ટેશન પર સંબંધિત કોચને અલગ કરીને સંભવિત અકસ્માત ટાળી શકાયો.
શ્રી ઘનશ્યામ સી.એ 20 નવેમ્બર 2025ના રોજ લાઠીદડ સ્ટેશન પર એક માલગાડીના સાતમા અને આઠમા વેગનમાં હોટ એક્સલની ગંભીર સ્થિતિ નિહાળી. તેમણે તરત જ સ્ટેશન માસ્ટરને માહિતી આપી, ત્યારબાદ ટ્રેનને રોકી જરૂરી સુધારા કરીને સલામત રીતે આગળ મોકલવામાં આવી.
શ્રી સતીશ જી.એ 12 નવેમ્બર 2025ના રોજ બોટાદ જંકશન પર એક માલગાડીમાં લટકતો ભાગ (હેંગિંગ પાર્ટ) જોયો. તેમણે તરત જ લોકોપાયલટને જોખમનો સંકેત આપી ટ્રેન રોકાવી અને લટકતા ભાગને સુરક્ષિત કરીને ટ્રેનને આગળ વધારવામાં આવી.
શ્રી સત્યજીત પાંડે એ 16 નવેમ્બર 2025ના રોજ અલમપર સ્ટેશન પર એક માલગાડીના બે વેગનમાં ચિંગારીઓ જોયી. તેમણે તરત જ ડેન્જર સિગ્નલ આપીને ટ્રેન રોકાવી, તપાસમાં બ્રેક જામ હોવાનું જાણવા મળ્યું, જેને ઠીક કરીને સલામત સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું.
મંડળ રેલ પ્રબંધકે તમામ સન્માનિત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ આવું જ ઉત્તમ કાર્ય ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.
પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ પોતાના કર્મચારીઓની ઝડપી વિચારશક્તિ, સાહસ અને સતર્કતાની પ્રશંસા કરે છે, જેના પ્રયાસોથી માત્ર રેલ સંપત્તિની સુરક્ષા જ નહીં પરંતુ સંભવિત અકસ્માતોને પણ અસરકારક રીતે અટકાવી શકાયા છે.
















