bhavnagar

અક્ષરવાડી મંદિરનાં 19માં પાટોત્સવ નિમિતે શ્રી સ્વામિનારાયણ ચરિતમ સપ્તાહનું વિશિષ્ટ આયોજન……

ભાવનગર શહેર અને જિલ્લાનું એક અનેરું નઝરાણું અને આધ્યાત્મિક શાંતિનું સ્થાન કહી શકાય તેવાં અને વિશ્વ વંદનીય સંત પૂજ્ય પ્રમુખસ્વામિ મહારાજની ભાવનગરને અનેરી ભેટ સમાન બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડીનો 19મો પાટોત્સવ ખુબ જ ધામધૂમ પૂર્વક અને વિશિષ્ટ આયોજન સાથે ઉજવવા જઈ રહ્યો છે.

તારીખ 13 થી 17 મે 2025 સુઘી સંસ્થાનાં વિદ્વાન અને ભાવનગરનાં વરિષ્ઠ સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામી દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિતમ સપ્તાહનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દિવ્ય જીવન ચરિત્રનું રસપાન થશે.રોજ રાત્રે 8:30 થી 11 વાગ્યાં સુધી ચાલનારા આ પારાયણમાં રોજ વિશિષ્ટ કાર્યક્રમોની વણઝાર હશે અને ભાવિક ભક્તોને ભક્તિકથામાં લીન કરી દેશે.

તારીખ 18 મે નાં રોજ સારંગપુર સંગીત શાળાના સંગીતજ્ઞ સંતો દ્વારા સુંદર કીર્તન ભક્તિનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 19 મેનાં રોજ 19 માં પાટોત્સવનું મુખ્ય પૂજન વિધિ અને મહાપુજા,સવારે સાત વાગ્યે, ત્યારબાદ મહાપુજા અને પોણા નવ વાગ્યાંથી ભગવાન સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવશે અને તેનો લાભ પણ ભાવિક ભક્તોને પ્રાપ્ત થશે.પાટોત્સવ નિમિતેનાં આ વિશિષ્ટ અને સુંદર આયોજનમાં ભાવિકોને પધારવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 73

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *