bhavnagar

અક્ષરવાડી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ઉજવાયો ભવ્ય મહા અન્નકુટ ઉત્સવ.

અન્નકૂટ ઉત્સવ એટલે ભગવાન પ્રત્યે સમર્પણની ભાવના દ્રઢ કરાવતો ઉત્સવ. અષાઢ માસથી થી શરૂ થયેલ વર્ષાથી ઉત્પન્ન નવા અનાજથી વિવિધ વાનગીઓ બનાવી સૌ પ્રથમ ભગવાનને અર્પણ કરવાની હિંદુ સનાતન ધર્મની પરંપરા છે.

આ રીતે ભગવાનના ઉપકારનો આભાર માનવાની અને સમગ્ર વર્ષ દરમ્યાન ભગવાનની પ્રસાદી રુપ અન્ન જમવાની ભાવના વ્યક્ત કરવામાં આવે છે. કારણકે બધું જ ભગવાનનું છે અને તેમનું આપેલું આપણે જમીએ છીએ.

અક્ષરવાડીમાં દર વર્ષે ખૂબ ભક્તિભાવ પૂર્વક અન્નકૂટ ઉત્સવ ઉજવાય છે. આ વર્ષે અન્નકુટમાં 1200 પ્રકારની વિવિધ શુદ્વ શાકાહારી વાનગીઓ ધરવામાં આવી છે.

વરિષ્ઠ સંત પૂ. સોમ પ્રકાશ સ્વામી, કોઠારી સંત પૂ. યોગ વિજય સ્વામી તથા મહાનુભાવોની ઉપસ્થિતિ માં ઉત્સવના દિવસે અન્નકૂટ થાળ નું ગાન તથા આરતી કરવામાં આવી. સાંજના ૭ કલાક સુધી ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ અન્નકૂટ દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો.

આજના પ્રસંગે કેન્દ્ર સરકારના માનનીય મંત્રી નીમુબેન બાંભણિયા, માનનીય ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ડો. ભારતીબેન શ્યાળ, કલેકટર શ્રી મહેતા સાહેબ, કમિશનર શ્રી સુજીત કુમાર, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ , શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, હીરા ઉદ્યોગ અગ્રણીઓ, મીડિયા વિભાગના તંત્રીઓ તથા બ્રાન્ચ મેનેજર, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, શિપ બ્રેકિંગ ઉદ્યોગપતિઓ, વકીલ એસોસિએશન હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને અન્નકૂટ દર્શન તથા આરતીનો લાભ પ્રાપ્ત કરેલ.

પૂજ્ય સંતોના માર્ગદર્શન નીચે છેલ્લા 15 દિવસથી સ્વયંસેવકો , બાળકો, બાલિકાઓ, યુવક, યુવતીઓ ,મહિલા હરિભક્તો આ અન્નકૂટની તૈયારી કરી રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે…

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ…

1 of 61

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *