bhavnagar

પશ્ચિમ રેલવેના 70મા રેલ સપ્તાહ સમારંભમાં ભાવનગર મંડળના 5 કર્મચારીઓને મળ્યો “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર”

મુંબઈ સ્થિત યશવંતરાવ ચવ્હાણ સભાગારમાં સોમવાર, 02 ફેબ્રુઆરી 2026ના રોજ પશ્ચિમ રેલવેના 70મા રેલ સપ્તાહ સમારંભના અંતર્ગત વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર (VRSP)–2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (પ્રભારી) શ્રી પ્રદીપ કુમારે પશ્ચિમ રેલવેના 92 અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ઉત્તમ તથા પ્રશંસનીય સેવાઓ બદલ વ્યક્તિગત રીતે વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર આપી સન્માનિત કર્યા.

આ પ્રતિષ્ઠિત સમારંભમાં ભાવનગર મંડળના 5 કર્મચારીઓને તેમના અનુસરણયોગ્ય કાર્ય, સમર્પણ અને ઉત્તમ સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ પુરસ્કાર સમારંભ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ પશ્ચિમ રેલવેના તેવા અધિકારીઓ અને કર્મચારીઓની કઠિન મહેનત, પ્રતિબદ્ધતા અને સમર્પણને માન્યતા આપવાનો છે, જે સતત પડકારોનો સામનો કરીને સંસ્થાના લક્ષ્યો સિદ્ધ કરવામાં નોંધપાત્ર યોગદાન આપે છે. આ પુરસ્કાર માત્ર પુરસ્કાર પ્રાપ્ત કરનાર કર્મચારીઓને પ્રોત્સાહન આપે છે એટલું જ નહીં, પરંતુ અન્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બને છે.

ભાવનગર મંડળમાંથી સન્માનિત કર્મચારીઓ:
1. શ્રી લલ્લન પ્રસાદ વર્મા – ટ્રેક મેન્ટેનર
2. શ્રી દિનેશ કુમાર – પોઇન્ટ્સમેન
3. શ્રી જિંજાળા જગદિશ મનસુખભાઈ – મુખ્ય વાણિજ્ય નિરીક્ષક (LSG & NFR)
4. શ્રી મોહમ્મદ હનીફ ખાન – સિનિયર આસિસ્ટન્ટ લોકો પાયલટ
5. શ્રી પિન્ટુ કુમાર – ટેક્નિશિયન
ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ તમામ પુરસ્કાર વિજેતાઓને તેમની ઉત્તમ સિદ્ધિઓ અને સંસ્થાના લક્ષ્યોની સિદ્ધિમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી. તેમણે જણાવ્યું હતું કે ભાવનગર મંડળ તેના કર્મચારીઓના સમર્પિત પ્રયત્નોના કારણે સતત મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ જ પ્રતિબદ્ધતા સાથે પ્રગતિ કરતું રહેશે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *