bhavnagar

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો ઉત્તમ પરિચય આપતાં ટ્રેનમાં ભૂલાયેલ મુસાફરનો મોબાઈલ ફોન સુરક્ષિત રીતે પરત આપી પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે તા. 10 માર્ચ 2026ના રોજ ગાડી નંબર 22963 બાંદ્રા–ભાવનગર સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસના કોચ નંબર B5માં મુસાફરી કરતી શ્રીમતી સુરેખાબેન (ઉંમર 67 વર્ષ) પોતાનો આઈફોન ટ્રેનમાં જ ભૂલી ગઈ હતી.

આ મોબાઈલ ફોન ટ્રેનમાં ફરજ પર રહેલા લિનેન સુપરવાઈઝર શ્રી શૈલેશ બારિયાને મળ્યો હતો. તેમણે પોતાની ઈમાનદારી દર્શાવતા મોબાઈલને સુરક્ષિત રાખ્યો. ત્યારબાદ તા. 11 માર્ચ 2026 (બુધવાર)ના રોજ ગાડી નંબર 12972 ભાવનગર–બાંદ્રા એક્સપ્રેસમાં ટ્રેન કેપ્ટન શ્રી વિજય કુમાર પંડ્યા (CTI, BVC)ની હાજરીમાં તે મોબાઈલ ફોન સંબંધિત મુસાફરને સુરક્ષિત રીતે પરત આપવામાં આવ્યો.

આ સરાહનીય કાર્ય બદલ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ સંબંધિત કર્મચારીઓની ઈમાનદારીની પ્રશંસા કરતાં તેમને ભવિષ્યમાં પણ આવી જ ઉત્તમ સેવા આપતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *