bhavnagar

દેવળીયા ગામના માલધારીઓ દ્વારા ગૌચર દબાણ દુર કરવા આવેદન પત્ર આપ્યુ

આગામી ૧૨ તારીખ સુધીમાં ગૌચર દબાણ દૂર નહિ થાય તો કચેરીનો ઘેરાવ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી

ઉમરાળા તાલુકાના દેવળીયા ગામના ગૌચરમાં દબાણ અને ખોદકામને લઈને ઉમરાળા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યુ ઉમરાળા તાલુકાના દેવળીયા ગામના માલધારીઓ દ્વારા જણાવવામાં આવ્યુ કે ગૌચર દબાણને પગલે અવાર નવાર રજૂઆત કરવામાં આવેલ છે પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી

માલધારીઓ દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે માલધારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં દબાણ દૂર કરવાના પ્રશ્નનુ નિરાકરણ લાવવા નહિ આવે તો આગામી તા.૧૨-૮-૨૪ ને સોમવારના રોજ માલધારીઓ માલ ઢોર સાથે મામલતદાર કચેરી સાથે તાલુકા પંચાયત કચેરીનો પણ ઘેરાવ કરવાની ચીમકી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યુ

રીપોર્ટ નિલેષ આહીર ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *