bhavnagar

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પ્રેરિત સાંસદ મહિલા ખેલ મહોત્સવનો પ્રારંભ

ભાવનગર બોટાદ સંસદીય બેઠક માટે યોજાયેલ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પ્રેરિત સાંસદ મહિલા ખેલ મહોત્સવનો પ્રારંભ સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યો હતો.

સાંસદ શ્રી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, દેશમાં મહિલાઓમાં રહેલ વૈશ્વિક ખેલ કૌશલ્ય વિકસાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ રહેલી છે, જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ ના માર્ગદર્શન સાથે સાંસદ મહિલા ખેલ મહોત્સવનું આયોજન થયું છે.

ભાવનગર બોટાદ સંસદીય બેઠકમાં ભાવનગર શહેર સાથે તમામ તાલુકા વિસ્તારના કેન્દ્રો પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ ખાતર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વ માર્ગદર્શન સાથે આજથી સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો છે.

ભાવનગર અને બોટાદ વિસ્તારના મહિલાઓ માટે યોજાયેલ આ ખેલ મહોત્સવ માં વ્યક્તિગત અને ટીમ એ બે ભાગમાં આયોજન કરવામાં આવેલ છે જેમાં વ્યક્તિગત રમતોમાં કુલ ૨૯૪૫ બહેનો તથા ટીમ રમતોમાં બહેનોની કુલ ૪૦૩ ટીમોનું રજીસ્ટ્રેશન થયેલ છે.

આજરોજ તા. 2 ના રોજ ટીમ રમતો જેવી કે ખો-ખો, રસ્સા ખેંચ, વોલીબોલ, કબડ્ડી, નારગેલ તેમજ તા. 3 ના રોજ વ્યક્તિગત રમતો લાંબીકુદ, ગોળાફેંક, ૧૦૦ મીટર દોડ, લીંબુ ચમચી, યોગાસન, સંગીત ખુરશી ની રમતોનું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મેયરશ્રી ભરત ભાઈ બારડ, ડેપ્યુટી મેયરશ્રી મોનાબેન પારેખ, ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, આગેવાન શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી રાજેશ ભાઈ ફાળકી, શ્રી ધીરુભાઈ શિયાળ, શ્રી રાજીવભાઈ પંડ્યા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી ધર્મિષ્ઠાબેન દવે, શ્રી કોમલબેન માંગુકીયા સહિત કાર્યકર્તાઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

1 of 80

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *