bhavnagar

શિવકુંજ આશ્રમે આધ્યાત્મિક વિદ્યાર્થિ યુવા શિબિરનું સુંદરકાંડ યજ્ઞ દ્વારા સમાપન .

“વૈદિક સભ્યતા વિશ્વની સંસ્કૃતિમાં મેરુ શિખરથી ઉંચી છે. ” – પૂ. મોરારીબાપૂ

” શિક્ષણ દ્વારા નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોના જતન માટે અધ્યાત્મનું ઉમેરણ આવશ્યક છે ” પૂજ્ય સીતારામ બાપુ

આજે શિબિરના સમાપન પ્રસંગે શિબિર માં પૂજ્ય મોરારીબાપુએ પધારીને શિબિરાર્થીઓના સદભાગ્યની સરાહના કરી હતી . તેઓએ કહ્યું હતું કે વૈશ્વિક સભ્યતા એ વૈદિક વિચારો અને વેદાંતની સભ્યતાને સ્વીકારવી પડશે સંસ્કૃત વગર કોઈ સંસ્કૃતિ ટકશે નહીં અને સમગ્ર વિશ્વ એ પરિવાર છે એવી ભાવના વેદ જ આપી શકે એમ જણાયું હતું .

અને સર્વે ભવન્તુ સુખીના એ મંત્રથી ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વના વિચારોને સંઘર્યા છે અને સમગ્ર વિશ્વ એ ભૂવનત્રયમ એટલે સ્વદેશ છે એવું કહીને આ દુનિયાને વસુદેવ કુટુંબકમની ભાવના આપનારી સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે એમાં સનાતન એ શિખર છે એવું જણાવીને આ શિબિરો દ્વારા પૂજ્ય સીતારામ બાપુ શિબિરાર્થીઓના જીવનની રખેવાળી કરે છે અને શાળાનું શિક્ષણ એ ડિગ્રી આપે છે જ્યારે આ શિબિરનું શિક્ષણ વૃત્તિ પલટાવે છે .

આશ્રમ ની જગ્યા કેટલી છે એ ખબર નથી પણ પૂજ્ય બાપુના દિલમાં ખૂબ મોટી જગ્યા છે એમ કહ્યું હતું. વેદ એ આપણી ગંગોત્રી છે , ગૌમુખ છે અને સમગ્ર વિશ્વના સંસ્કારોમાં શિખરસ્ત સંસ્કાર એ વેદ સંસ્કાર છે અને આપણા માટે પાંચ સેવાની એમણે વાત કરી હતી જેમાં (૧) દેહની સેવા (૨) દેવની સેવા (૩) દેશ સેવા ( ૪ ) દીન સેવા અને (પ) દિલની સેવા એટલે કે આપણા હૃદયમાં રહેલા ઈશ્વરની સેવા એટલે કે ઈશ્વર આપણા વર્તનથી દુભાય નહિં એવા સંસ્કારો જાળવવાની શીખ આપી હતી .

પૂજ્ય સીતારામ બાપુ સમગ્ર જગતના શુભ કલ્યાણ માટે આ શિબિર રોજે છે એટલે આ શિબિરમાંથી મળી રહેલું ફળ નહીં પણ રસની ઇચ્છા આશા રાખવા કહ્યું હતું. ફળની આશા નહિં રાખીને “રસો વૈ સઃ એટલે ઈશ્ચર કૃપાની આશા રાખવી એવી વાત કરીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો .

પૂજ્ય મોરારીબાપુએ કહ્યું હતું કે આ ૩૨મી શિબિરમાંથી કોઈ એકાદ 32 લક્ષણો બને અને એ દ્વારા સનાતન સંસ્કૃતિને ઉજાગર કરે એ જ સાચી શિબિર ની ફળશ્રુતિ ગણાય તેમજ આપણાથી શ્રેષ્ઠ હોય તેનાથી થોડુંક ડરીએ તો અભય પદ મળે છે અને ગીતામાં શ્રી કૃષ્ણ પ્રભુએ અભયને તેવી સંપદા ગણાય છે .આવિ શિબિરો બાળકના લોકત્વને શ્લોકત્વમાં પલટાવે તે માટે યોજાય છે

અને શિબિરાર્થીઓને મા બાપની અને દેશની સેવા કરવા માટે પોતે આશીર્વાદ આપ્યા હતા અને સમગ્ર જીવો માટે બીજાના સુખમાં આપણું સુખ છે એવું જણાવી શિબિરા – ર્થીઓને આ શિબિર યાદ રાખવા અને જીવનમાં એના મવેલા સંસ્કારો ઉજાગર કરવા પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો .

શિબિરમાં આવીને ભવનાથ મહાદેવ મંદિરે દર્શન કરી પાટોત્સવના યજમાનોને આશિષ આપ્યા હતા.દિક્ષાંત આશિષ આપતાં સીતારામ બાપુએ શિવરાત્રી અને વિચારોના આ વૃંદાવનમાં ત્રણ દિવસ જે વિચાર્યું તેને જીવનમાં ઉતારી અને જીવન જીવવા સંતો દ્વારા વિદ્વાનો દ્વારા આપવામાં આવેલા જીવન વિકાસના પાઠ્ય અને કાયમ ટકાવી રાખવા આશીર્વાદ આપ્યા હતા. દરેક શિબિરારથી ભાઈ બહેનોને ભગવાનમાં શ્રદ્ધા રાખી પોતાની જાતમાં શ્રદ્ધા રાખી આગળ વધવા હાકલ કરી હતી .
શિબિરમાં મૂર્ધન્ય વિદ્વાન ડોક્ટર ગૌતમભાઈ પટેલે સંપાદિત કરેલું શંકરાચાર્ય ભગવાનનું સંપૂર્ણ જીવનભરનું સંસ્કૃત સાહિત્ય ગુજરાતીમાં અનુવાદ કરી જે 15 પુસ્તકોનો સંપુટ હમણાં જ વિમોચિત થયેલો તે પૂજ્ય મોરારીબાપુ અને પૂજ્ય સીતારામ બાપુને અર્પિત કરાયો હતો .
પ્રારંભે ડો. જે.પી. મૈયાણીએ સ્વાગત કર્યું હતું. ત્રણેય દિવસનું ઉદ્ધોષણાનું કાર્ય નરેશ જાનીએ કર્યું હતું.

આજે ડો. કનુભાઈ કળસરીયા , મહેન્દ્રભાઈ બારૈયાએ ઉપસ્થિત રહી શિબિર માણી હતી. શિવકુંજ પરિવારના સૌ સભ્યોએ સંયોજક એડવોકેટ શરદભાઈ ભટ્ સાથે શિબિરની સફળતા માટે સેવાની સુવાસ અર્પી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

વીર દેવાયત બાપાના શૌર્યને સલામ માયધારમાં ઇતિહાસ જીવંત બન્યો માયધાર ગામે ગૌરવનો…

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

ભારતીય રેલવે બોર્ડના માર્ગદર્શન મુજબ પશ્ચિમ રેલવે અંતર્ગત મંડળ રેલવે હોસ્પિટલ,…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *