bhavnagar

વાઘાસવામી મહારાજ ની જગ્યા માં રાધાકૃષ્ણ ભગવાનનો 17 મો પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

ભાવનગર જિલ્લાના વલભીપુરમાં પાટીવાડામાં આવેલ શ્રી વાઘાસ્વામી મહારાજની જગ્યામાં રાધાકૃષ્ણ ભગવાનનો 17 મો પાટોત્સવ પરમ પૂજ્ય જીણારામજી મહારાજ ગુરુ શ્રી વિઠ્ઠલદાસજી મહારાજ સેવક સમુદાય દ્વારા .સવારે સાડા પાંચ વાગ્યે મંગળા આરતી તેમજ આઠ કલાકે યજ્ઞ પ્રારંભ કરી ઘજા ની પૂજા વિધિ કરી 10:30 કલાકે ધર્મસભા પણ યોજવામાં આવી તેમાં ખાસ ઉપસ્થિત સંતો સંત શ્રી આત્માનંદ સરસ્વતીજી બોટાદ. વાકિયા હનુમાનજી આશ્રમ આમલાના મહંત શ્રી રવુબાપુ. મહેશદાન ગઢવી વિજ્ઞાન વક્તા બોટાદ. તેમજ વલભીપુર ભીડભંજન મહાદેવના મહંત અશ્વિન ગીરીબાપુ. વલભીપુરના ના તમામ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય પાટોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સાથે સંતો મહંતો નું ફૂલના હાર અને સાલ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું. તમેજ વલભીપુર ગામજનો ખૂબ બહોળી સંખ્યામાં રાધાકૃષ્ણ ભગવાનના પાટોત્સવમાં ભક્તિ ભાવ સાથે જોડાયા હતા

આ પાટોત્સવમાં ઉપસ્થિત વલભીપુર નગરપાલિકા પ્રમુખ વલ્લભભાઈ કામ્બડ. વલભીપુર શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ગુજરાતી. વલભીપુર તાલુકા ભાજપ પ્રમુખ પદુભા ગોહિલ. વલભીપુરના પીએસઆઇ પ્રતાપસિંહ ઝાલા. વલભીપુરના ઉદ્યોગપતિ ભગવાનભાઈ ગુજરાતી. ઉદ્યોગપતિ વિનુભાઈ કાનાણી. ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ પેથાભાઇ આહીર. વલભીપુરના પૂર્વ તાલુકા પ્રમુખ વશરામભાઈ આહીર. રાજેન્દ્રસિંહ ગોહિલ ચમારડી.બોટાદ સમાચારના તંત્રી નિરજભાઈ દવે.

તેમજ જગ્યા ના તમામ સેવક સમુદાય નગરજનો સ્વયમ સેવકો દ્વારા 17 મો ભવ્ય પાટોત્સવ યોજવામાં આવ્યો તેમજ આ પાટોત્સવમાં તમામ ભક્તજનોએ યજ્ઞ હવન મંદિર ના દર્શન નો લાભ લીધો હતો અને મહાપ્રસાદ પણ સાથે લીધો હતો

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

1 of 40

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *