Breaking NewsLatest

આર્મી એર ડિફેન્સ દ્વારા વડોદરા ખાતે 81મા કોર્પ્સ દિવસની ઉજવણી કરવામાં આવી.

વડોદરા: એર ડિફેન્સ બ્રિગેડ દ્વારા 15 સપ્ટેમ્બર 2020ના રોજ કોર્પ્સ ઓફ આર્મી એર ડિફેન્સના 81મા કોર્પ્સ દિવસની ઉજવણી સંપૂર્ણ જુસ્સા અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન કોવિડ-19 મહામારીને અનુલક્ષીને જાહેર કરવામાં આવેલા તમામ સાવચેતીના પગલાં અને દિશાનિર્દેશોનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોર્પ્સ ઓફ આર્મી એર ડિફેન્સના તમામ સેવાનિવૃત્ત સૈનિકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. વિવિધ રમતો ઉપરાંત ઓવરઓલ ચેમ્પિયનશીપ બેનર અને પ્રોફેશનલ ટ્રોફી પણ વિવિધ યુનિટને 12 સપ્ટેમ્બર 2020ના રોજ કોર્પ્સ ડેની ઉજવણી સાથે સંપન્ન થયેલા અગાઉના તાલીમ વર્ષમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં સિદ્ધિઓ હાંસલ કરવા બદલ એનાયત કરવામાં આવી હતી.

કોર્પ્સ ઓફ આર્મી એર ડિફેન્સની પ્રથમ વખત શરૂઆત 15 સપ્ટેમ્બર 1940ના રોજ મુંબઇમાં કોલાબા ખાતે નંબર 1 એન્ટી એરક્રાફ્ટ ટેકનિકલ તાલીમ બેટરી તરીકે કરવામાં આવી હતી, ત્યારબાદ 1940-45ના સમયગાળામાં એન્ટી એરક્રાફ્ટ રેજિમેન્ટ્સ અને એન્ટી એરક્રાફ્ટ તાલીમ કેન્દ્રોનો ઉદય થયો હતો. એન્ટી એરક્રાફ્ટ યુનિટ્સે બ્રિટિશ ભારતીય આર્મીમાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી હતી અને ભારત તેમજ દુનિયાના અન્ય ભાગોના સહયોગી દળોના સંરક્ષણમાં ખૂબ ચાવીરૂપ ભૂમિકા નિભાવી હતી. ભારતીય એન્ટી એરક્રાફ્ટ ગનર્સના બલિદાનના કારણે જ બ્રિટનને જાપાન સામે સજામુક્તિ સાથે યુદ્ધમાં વિજય મેળવવામાં મદદ મળી શકી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *