Breaking NewsPolitics

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ દાદાના કર્યા દર્શન

ગીર સોમનાથ: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ વિશ્વ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર અને બાર જ્યોર્તિલિંગ ના પ્રથમ એવા ભગવાન સોમનાથ દાદા ના સવારે દર્શન પૂજન કરી ને ગુજરાત સહિત સમગ્ર વિશ્વ ને કોરોના મહામારી માંથી મુક્ત કરવા ની પ્રાર્થના કરી સૌના મંગલ ની કામનાઓ કરી હતી તેમણે કહ્યું કે લોક ડાઉન બાદ ભગવાન સોમનાથ દાદા ના ચરણ માં શીશ ઝૂકવવાની તેમની ઈચ્છા આજે પૂર્ણ થઈ છે. શ્રી વિજય ભાઈ રૂપાણીએ મંદિર પરિસરમાં ધ્વજા ના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી .

મુખ્યમંત્રીશ્રી સાથે શ્રીમતી અંજલિ બહેન રૂપાણી તેમજ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અધ્યક્ષ ધનસુખ ભાઈ ભન્ડેરી સંસદ સભ્ય રાજેશ ચુડાસમા તથા પૂર્વ મંત્રી જશાભાઇ તેમજ નીતિન ભાઈ ભારદ્વાજ સહિત ના અગ્રણીઓ પણ દર્શન માં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રી એ આ પૂર્વે ગઇકાલે સાંજે સોમનાથમાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય ના અધિકારીઓ સાથે બેઠક યોજી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ ની સ્થિતિ ની જાણકારી મેળવી નિયંત્રણ માટે ના ઉપાયો સઘન સર્વેલનસ વગેરે ની સૂચનાઓ આપી હતી અને તાજેતરની વરસાદી સ્થિતિ ની પણ સમીક્ષા હાથ ધરી હતી

સંજીવ રાજપૂત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 345

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *