bhavnagarBreaking NewsGujarat

જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતાની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ.ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી જેસર ખાતે થશે.

રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની ૭૫ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના જેસર ખાતે કરવામાં આવનાર હોય એ અંગે જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતાના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં પ્રજાસત્તાક પર્વના અનુસંધાને યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ બાબતે પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ધ્વજ વંદન માટેના મિનિટ ટુ મિનિટ એટલે કે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા ઘડવા માટે ચર્ચા કરવામાં આવી હતી.કલેકટરશ્રીએ પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી ગરીમામય માહોલમાં યોજાઈ તે માટે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પૂર્વ અનુભવોને ધ્યાને લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પ્રજાજનો પણ ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.પ્રશાંત જીલોવા,રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી જી.એચ.સોલંકી,નિવાસી અધિક કલેકટર શ્રી એન.ડી.ગોવાણી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જયશ્રીબેન જરૂ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

1 of 352

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *