bhavnagarBreaking News

ઉમરાળાના ટીંબી ખાતેની મારુતિ ગેસ એજન્સીના માલિકની દબંગાઈ

ગેસ રીફિલિંગ માટે આવેલા 67 વર્ષના આધેડને ઢોર માર માર્યો

ઉમરાળા : ઉમરાળા તાલુકાના ટીંબી ગામે મારુતિ ગેસ એજન્સીના માલિક અને ભાજપના મહિલા મોરચાના અગ્રણી ભારતીબેન ભિંગરાડીયા ના પતિ વિઠ્ઠલ ભિંગરાડિયાની દાદાગીરી સામે આવી છે , પ્રાપ્ત થતી વિગત મુજબ બે દિવસ પૂર્વે ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામના 67 વર્ષના આધેડ મનજી ભાઈ સવાણી પોતાના ભાઈના ઘરેલુ ગેસ કનેશન નો સિલિન્ડર રિફિલ કરાવવા મારુતિ ગેસ એજન્સી ટીંબી ખાતે આવેલા હતા, તે સમયે મોબાઈલ માં આવેલ ઓ.ટી.પી. અર્થે ફરજ પરના કર્મચારી ને પૂછતા

તેઓ દ્વારા એજન્સીના માલિક સાથે ઓફિસમાં વાત કરી લેવા જણાવેલ જ્યારે આધેડ એજન્સી સંચાલકને ઓફિસ માં મળવા જતા તેઓ સાથે વિષય અન્વય વાત કરતા સંચાલક વિઠ્ઠલ ભિંગરાડિયા દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ભૂંડા બોલી ગાળો આપેલ ત્યાર બાદ આધેડ મનજીભાઈ દ્વારા ગાળો ન બોલવા બાબત કહેતા ઉશ્કેરાયેલા વિઠ્ઠલ ભીંગરાડિયાએ ધોકા પાઇપ વડે આધેડને ઢોર માર માર્યો હતો ,

ઇજાગ્રસ્ત આધેડ ને 108 મારફતે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, સમગ્ર ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત ની ફરિયાદ લઇ ફરિયાદના આધારે આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલેખાનીય છે કે વિઠ્ઠલ ભિંગરાડિયા અને તેનો પુત્ર તાલુકામાં માથા ભારેની છાપ ધરાવે છે અવાર નવાર ગેસ રિફિલીગ કરવા આવતા ગ્રાહકો સાથે ઉધતાઈ ભર્યું વર્તન તેમજ હાથાપાઇ કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું વિઠ્ઠલ ભિંગરાડિયા વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં 6 જેટલા અલગ અલગ ગુન્હા કાર્યની ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે જો કે રાજકીય વગ ધરાવતા હોવાથી તેની સામે કોઈ શિક્ષાત્મક પગલાં આજ દિન સુધી લેવાયા નથી , જેથી સ્થાનિક લોકોમાં ભય નો માહોલ ફેલાયો છે આવા વિઠ્ઠલ ભિંગરાડિયા જેવા માથા ભારે શક્શો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે

રિપોર્ટ : નિલેષ આહીર ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

સિહોર શહેરમાં સત્તાધીશોના પાપે ૪૭ કરોડની ગ્રાન્ટ છતાં લોકો ગટર સુવિધા થી વંચિત : જયરાજસિંહ મોરી

સિહોર માં ભાજપના શાસનમાં સ્વચ્છતા ની માત્ર મોટી વાતો થઈ છે અને સ્વચ્છતા અભિયાનના…

સાસણ ખાતે સિંહ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો ભાવનગર જિલ્લાનાં સિંહ દિવસ કાર્યકર્તા જોડાયા

ભાવનગર વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં…

1 of 357

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *