bhavnagarBreaking NewsEducationGujaratHelth

ભાવનગરના કરદેજ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓને ઉંડવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્યલક્ષી કામગીરી બદલ પ્રોત્સાહિત કરાયા

ભાવનગરના કરદેજ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓને ઉંડવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્યલક્ષી કામગીરી બદલ પ્રોત્સાહિત કરવામાં આવી હતી જેમાં 120 વિદ્યાર્થિનીઓ દ્વારા ઘેર ઘેર મચ્છર ઉત્પતિ અટકાવવાના ઉપાયો અને ગરમ પાણી પીવાના ફાયદા જણાવ્યા હતા. આથી ઝાડા ઉલટી ટાઈફોડ કમળો જેવા પાણીજન્ય રોગો અટકાવ્યામાં ફાયદો થયો હતો.

તાજેતરમાં કરદેજમાં આવેલી કન્યાશાળા ખાતે આરોગ્યની ટીમ દ્વારા મચ્છર ઉત્પતિ કઈ રીતે અટકાવી શકાય અને પાણીજન્ય રોગો કઈ રીતે અટકાવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી જેથી બાળકોએ આ પ્રવૃત્તિને વેગ આપીને પોતાના ઘરે તેમ જ આજુબાજુના ઘરોમાં આરોગ્યલક્ષી પ્રવૃત્તિ નક્કર રીતે કરી હતી.

આ સુંદર કામગીરી કરવા બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊંડવી દ્વારા વિદ્યાર્થિનીઓને સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા સુંદર જહેમત ઉઠાવાઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્દોરની પાવન ધરતી પર મહિસાગરના શિક્ષકશિલ્પી શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલ બન્યા ગુજરાતનું ગૌરવ

મહારાષ્ટ્રના વર્ધામાં નોંધાયેલ “બાળરક્ષક પ્રતિષ્ઠાન” દ્વારા ઇન્દોર સ્થિત અહિલ્યા…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 409

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *