Latest

માછીમારી સીઝનની પૂર્વ તૈયારીરૂપે બો ટોને ৭০ દિવસ અગાઉથી જી.એફ.સી.સી.એ.લી., તથા સહકારી મંડળીઓ હસ્તકનાં ડીઝલ પંપોમાંથી ડીઝલનું વિતરણ શરૂ કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી.

ખારવા સંયુકત માચ્છીમાર બોટ એશોસીએશનનાં પ્રમુખ શ્રી તુલસીભાઈ ગોહેલની યાદી જણાવે છે કે, ભારત સરકારનાં નોટીફીકેશન મુજબ ગુજરાત-મહારાષ્ટ્ર- ગોવા-કર્ણાટક દિવ-દમણ સહિતના દેશનાં રાજયોમાં માછીમારી સીઝનની શરૂઆત તા. ૧ ઓગષ્ટથી શરૂ થાય છે,

અને દેશનાં તમામ રાજયોમાં તેનું ચુસ્તપણે પાલન થાય છે તે મુજબ ગુજરાતમાં પણ સરકારશ્રીનાં નિયમ અનુસાર માછીમારી સીઝન તા. ૧ ઓગષ્ટથી જ શરૂ કરવા અને તેમાં કોઈ ફેરફાર ન કરવા બાબતે ગુજરાતનાં ચાર જિલ્લાઓ (ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા જામનગર તથા કચ્છ) નાં વિવિધ બંદરોનાં માચ્છીમાર આગેવાનોનાં એક પ્રતિનિધિ મંડળ ઘ્વારા આજરોજ ગાંધીનગર ખાતે આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવેલ છે.

આ પ્રતિનિધિ મંડળમાં ઉપર દર્શાવેલ ચારેય જિલ્લાઓનાં માછીમાર આગેવાનો જેવા કે, તુલસીભાઈ ગોહેલ, પ્રમુખ, બોટ એશોસીએશન (સાગરપુત્ર ફાઉન્ડેશન), વેરાવળ, મનોજભાઈ મોરી, પ્રમુખ, સાગરપુત્ર ફીશીંગ બોટ એશો., ઓખા, પદમભાઈ માલમડી, ઉપપટેલ, ખારવા સમાજ વેરાવળ, મોહનભાઈ ભારાવાલા, પટેલ, હોડી એશોસીએશન, વેરાવળ, લક્ષ્મીકાંત સોલંકી, પ્રમુખ, ભીડીયા કોળી સમાજ બોટ એશો., રમેશભાઈ ડાલકી, પ્રમુખ, ભીડીયા ખારવા સમાજ બોટ એશોસીએશન, રતિલાલ ગોહેલ, પ્રમુખ, ભીડીયા ખારવા હોડી એશો., નિતીનભાઈ ગોહેલ, મંત્રી, બોટ એશોસીએશન (સાગરપુત્ર ફાઉન્ડેશન), વેરાવળ, ફકીરાભાઈ સીરાજી, પરેશભાઈ જોશી, ઉપરાંત કોટડા કોળી સમાજ, માઢવાડ ખારવા સમાજ તેમજ કોળી સમાજ, હિરાકોટ કોળી સમાજ,નાં આગેવાનો તદૃઉપરાંત રૂપેણ બંદરનાં સતારભાઈ ભરૂચા, સલાયાનાં સીદ્દીક આદમ,કચ્છનાં ભદ્રેશ્વર માંજલીયા, અયુબ ઓસમાણ, આમલાનાં યુનુસભાઈ, સચાણાનાં મહંમદ સીદ્દીક, સિકકાનાં ઈકબાલભાઈ, કચ્છ જખૌ નાં અબ્દુલશા પીરઝાદા તથા કચ્છ લુણીનાં અલ્તાફ રેલીયા સ’તનાં માછીમાર આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

અહેવાલ મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *