bhavnagarBreaking NewsEducationGujarat

મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઇ સોલંકીએ ભાવનગરની મોરચંદ,રાણાધાર અને ભવાનીપરા પ્રાથમિક શાળામાં બાળકોને મીઠું મોં  કરાવી ભૂલકાંઓને શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો.

ભાવનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ના બીજા દિવસે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઇ સોલંકીએ ભાવનગરની મોરચંદ,રાણાધાર અને ભવાનીપરા પ્રાથમિક શાળામાં બાળકોને મીઠું મોં  કરાવી ભૂલકાંઓને શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો. શાળાની બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી સ્વાગત કર્યું હતું.

મંત્રી શ્રી પરસોત્તમભાઇ સોલંકી એ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.આપણું બાળક પ્રવેશથી વંચિત ન રહે અને શિક્ષણ ક્ષેત્રની તમામ યોજનાઓનો વધુને વધુ લાભ લઈ શિક્ષણ ક્ષેત્રે આગળ આવી ઉજ્વળ ભવિષ્ય બનાવવા આહવાન કર્યું હતું.

રાણાધાર ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રીના હસ્તે મોરચંદ ખાતે કેન્દ્રવર્તી-કન્યા શાળાના આંગણવાડીના ૧૬,બાલવાટિકાના-૨૧ કુમાર-કન્યા એમ કુલ-૩૭  ભુલકાઓને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ આપી તેમજ ધો-૯ ના પ્રવેશપાત્ર-૩૪ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

રાણાધાર પ્રાથમિક શાળાના બાલવાટિકાના-૧૯,આંગણવાડી ના ૧૩ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.આ ઉપરાંત ભવાનીપરા પ્રાથમિક શાળાના બાલવાટિકાના-૨,આંગણવાડી ના ૪ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યકક્ષાના મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રણજીતસિહ કટારીયા,આગેવાન શ્રી રાજેશભાઈ ફાળકી,શ્રી દિવ્યેશભાઈ સોલંકી,શ્રી લગ્ધીર સિંહ ગોહિલ,શ્રી અરવિંદ ભાઈ સહિત ગામના સરપંચશ્રીઓ,જિલ્લા/તાલુકાનાં પદાધિકારીઓ-અધિકારીઓ અને શાળા-આંગણવાડીના ભૂલકાઓ,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ…

વલભીપુરના દિવંગત શિક્ષક દીપકભાઈ જયપાલની ઉત્તરક્રિયામાં રક્તદાનનો અનોખો સેવાયજ્ઞ: ૮૦ બોટલ લોહી એકત્ર થયું

શોકને સેવામાં બદલતા જયપાલ પરિવારની નવી પહેલ; દિવંગત શિક્ષકની સ્મૃતિમાં સ્નેહીજનો…

વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

​શાંતિનિકેતન શાળાના ભૂલકાઓ સાથે પતંગ-ચીકીનું વિતરણ કરી કેક કાપી ઝૂંપડપટ્ટીના…

1 of 395

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *